SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. અધ્યાત્મસ્વરૂપાધિકાર (૨૨) મોદશમ : દર્શનસપ્તકની ક્ષપણા કરતાં પણ ઉપશમશ્રેણી માંડનાર મોહશમક અપ્રમત્તમુનિ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે, અને તે જીવ આઠમા ગુણસ્થાનકથી માંડીને યાવતુ દસમા ગુણસ્થાનક સુધી ઉત્તરોત્તર અધિક-અધિક અસંખ્યાતગુણ નિર્જરા કરે છે અને ત્યારપછી તે ઉપશાંતમોગુણસ્થાનકમાં જાય છે. (૨૨) ૩ શાંતનોદ : ઉપશમશ્રેણિ માંડનાર જીવ જ્યારે અગિયારમા ગુણસ્થાનકમાં આવે છે. ત્યારે, તેનો સંપૂર્ણ મોહ શમી ગયો હોવાથી તે “ઉપશાંત વીતરાગ” કહેવાય છે, અને ત્યારે ઉપશમશ્રેણી કરતાં અસંખ્યાતગુણ અધિક નિર્જરા તે કરે છે. (૨૩) ક્ષણ : ક્ષપકશ્રેણી માંડનાર જીવ જ્યારે દર્શનસપ્તકની ક્ષપણા કર્યા પછી આઠમા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધી ચારિત્રમોહની ક્ષપણા કરે છે ત્યારે તે ક્ષપક' કહેવાય છે. જોકે તે વખતે તે વીતરાગ નથી તો પણ ઉપશાંત વીતરાગ કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે, કેમ કે ઉપશાંત વીતરાગ કરતાં પણ મહાવીર્યથી જીવ ક્ષપકશ્રેણીમાં ચઢેલો છે. તેથી અગિયારમા ગુણસ્થાનકવર્તી ઉપશાંત વીતરાગ કરતાં પણ આઠમા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનકવર્તી ક્ષપકશ્રેણીવાળો જીવ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. (૨૪) ક્ષીનમોદ : ક્ષપકશ્રેણી માંડનાર જીવ જ્યારે બારમા ગુણસ્થાનકે પહોંચે છે ત્યારે સત્તામાંથી સંપૂર્ણ મોહનો અભાવ થાય છે, તેથી તે ક્ષીણમોહવાળો કહેવાય છે. અને તે ભૂમિકામાં મોહની સત્તાનો અભાવ હોવા છતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય એ ત્રણ ઘાતિકર્મોનો ઉદય છે, તેથી બારમા ગુણસ્થાનકકાળમાં “ક્ષપકશ્રેણી કાળ' કરતાં અસંખ્યાતગુણ નિર્જરા હોવા છતાં કેવલી કરતાં નિર્જરા ઓછી છે. (૨૫) નિન દેવની - ક્ષીણમોહમાં સંપૂર્ણ મોહનો અભાવ હોવા છતાં શેષ ત્રણ ઘાતી કર્મો વિપાકમાં હોય છે, તેથી કેવલી કરતાં ત્યાં શુદ્ધિ ઓછી છે, અને કેવલીને સર્વથા G-૫
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy