SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૩૬ (૮) યતિ ત્રિવિદ્યા : સર્વવિરતિવાળો યતિ દેશવિરતિવાળા શ્રાવક કરતાં અસંખ્યાતગણી નિર્જરા કરે છે. વળી તે સર્વવિરતિવાળા યતિ ત્રણ પ્રકારના છે. (૧) સામાયિક ચારિત્રવાળા, (૨) છેદોપસ્થાપનીય ચારિત્રવાળા અને (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા. જોકે ચારિત્ર પાંચ પ્રકારનું છે, પરંતુ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રરૂપ બે પ્રકારવાળા યતિઓનો આગળમાં કહેવાનારા ભેદોમાં અંતર્ભાવ થતો હોવાથી અહીં ત્રિવિધ યતિ' કહેલ છે, જે શ્રાવક કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. (૧) અનંતાક્ષર : અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અથવા સર્વવિરતિધર આ ત્રણમાંથી કોઈ અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભની ક્ષપણા કરે છે, પરંતુ સમ્યક્ત્વમોહનીય મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયની ક્ષપણા કરતા નથી, તેવા જીવો અનંતાનુબંધીના ક્ષેપક કહેવાય છે. આને શાસ્ત્રની પરિભાષામાં અનંતાનુબંધીની વિસંયોજના' કહે છે, અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિઓનો ક્ષય કર્યા પછી કોઈ જીવ નિમિત્તને પામીને મિથ્યાત્વમાં જાય, તો અનંતાનુબંધી સત્તામાં નહિ હોવા છતાં પ્રત્યાખ્યાની આદિ કષાયોને અનંતાનુબંધીરૂપે કરીને ફરીથી અનંતાનુબંધી કષાયની સત્તાને પ્રાપ્ત કરે છે; અને અનંતાનુબંધીની ક્ષપણાકાળમાં અવિરત સમ્યગ્દષ્ટિ હોય તો પણ, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા મુનિ કરતાં પણ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. (૨૦) રક્ષપર્વ : સાયિક સમ્યકત્વ પામનાર જીવે પૂર્વમાં આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવ ખંડક્ષપકશ્રેણિ કરે છે, અને જેણે શ્રેણિ માંડતાં પૂર્વે આયુષ્ય બાંધ્યું નથી, તે જીવ અખંડ ક્ષપકશ્રેણિ કરે છે. આમ, બંને પ્રકારના જીવો ચોથાથી સાતમા ગુણસ્થાનકમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં દર્શનસપ્તકની ક્ષપણાનો પ્રારંભ કરે છે. આવા જીવો અનંતાનુબંધીની વિસંયોજના કરનારા જીવો કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy