SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ વૈરાગ્યવિષયાધિકાર प्रथमानविमानसम्पदां च्यवनस्यापि दिवो विचिन्तनात् । हृदयं न हि यद्विदीर्यते, घुसदां तत्कुलिशाणुनिर्मितम् ।।२०।। અન્વયાર્થ : પ્રથમાનવિમાનસમ્પનાં ઘુસતાં ચવું હૃત્યું પ્રથમાન=વિસ્તાર પામતી એવી, વિમાનની સંપદાવાળા દેવતાઓનું જે હૃદય વિવઃ વનસ્યાપિ વિચિત્તનાત્ દેવલોકથી ચ્યવનના પણ ચિંતવનથી નહિ વિીર્યતે ભેદાતું નથી જ, ત્ તે=(દેવોનું) હૃદય, નિશાળુનિર્મિતત્ વજ્રના અણુથી નિર્મિત છે. ||૭ ૨૦|| શ્લોકાર્થ ઃ વિસ્તાર પામતી એવી વિમાનની સંપદાવાળા દેવતાઓનું જે હૃદય, દેવલોકથી ચ્યવનના પણ ચિંતવનથી ભેદાતું નથી જ, તે દેવોનું હૃદય વજ્રના અણુથી નિર્મિત છે. ll૭-૨૦મા ભાવાર્થ : દેવલોકના વિમાનની ગમે તેટલી અઢળક સંપત્તિને પામેલો હોય તો પણ, વિચા૨ક દેવ જાણતો હોય કે એક દિવસ મારે દેવભવથી ચ્યવીને અન્ય ભવમાં જવાનું છે, તેથી તે ચિંતવનને કા૨ણે તેનું હૃદય ભેદાઈ જાય છે. તેથી તે દેવ, ભોગો પાછળ રહીને જીવન સમાપ્ત કરતો નથી, પરંતુ પોતાનું હિત સાધવા માટે તીર્થંકર આદિના સંબંધને પ્રાપ્ત કરે છે. પરંતુ જે દેવોનું હૃદય ચ્યવનના વિચારથી પણ ભેદાતું નથી, તેમનું હૃદય વજ્ર જેવું કઠોર છે; જેથી મૃત્યુનો વિચાર પણ તેમને અડતો નથી, અને નિઃશંક થઈને ભોગોમાં જ યત્ન કર્યા કરે છે. આ પ્રકારની મોહની સ્થિતિનો વિચાર કરીને યોગીઓ દેવલોક્નાં સુખો પ્રત્યે નિઃસ્પૃહ બને છે; કારણ કે, દેવલોકના ભોગો કઠોર હૈયું ક૨ના૨ છે, જેથી જીવ તત્ત્વાતત્ત્વનો પણ વિચાર કરી શકતો નથી. II૭-૨૦મા विषयेषु रतिः शिवार्थिनो, न गतिष्वस्ति किलाखिलास्वपि । घननन्दनचन्दनार्थिनो, गिरिभूमिष्वपरमेष्विव ।।२१।।
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy