SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૨૫૦ रमणीविरहेण वह्निना, बहुबाष्पानिलदीपितेन यत् । त्रिदशैदिवि दुःखमाप्यते, घटते तत्र कथं सुखस्थितिः ।।१९।। અન્વયાર્થ: વહુવાણાનિસ્તેન રમવિર વસ્તિનાબહુબાષ્પરૂપી પવનથી દીપિત એવા રમણીના વિરહરૂ૫ અગ્નિ વડે ચત્ તુમ્ જે દુઃખ વિશે વિવિ ૩યતે દેવતાઓ વડે સ્વર્ગમાં પ્રાપ્ત કરાય છે, તત્ર સુરિથતિઃ ચં ઘરતે ત્યાં સુખની સ્થિતિ કેવી રીતે ઘટે ?li૭-૧લી શ્લોકાર્ય : બહુબાષ્પરૂપી પવનથી દીપિત એવા રમણીના વિરહરૂપ અગ્નિ વડે જે દુઃખ દેવતાઓ વડે સ્વર્ગમાં પ્રાપ્ત કરાય છે, ત્યાં સુખની સ્થિતિ કેવી રીતે ઘટે ? II૭-૧લા ભાવાર્થ : દેવલોકમાં કોઈ દેવતાને તેની અતિ પ્રિય દેવી સાથે અત્યંત આત્મીયતા હોય અને તે દેવી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી જાય, ત્યારે ઉત્કટથી છ માસ સુધી અન્ય દેવી તે સ્થાનમાં ન પણ પ્રાપ્ત થાય. તે સમયે અતિરાગને કારણે તેના હૃદયમાં ઘણા નિસાસારૂપ બહુબાષ્પરૂપી પવનથી દીપિત થયેલ રમણીના વિરહરૂપ અગ્નિ પ્રજ્વલિત થાય છે, અને તેને કારણે અન્ય અનેક ભોગસામગ્રી હોવા છતાં તે દેવ દુઃખી થાય છે. તેથી કહે છે કે, આવી દુઃખની સ્થિતિ જ્યાં દેવલોકમાં છે, ત્યાં સુખની સ્થિતિ ક્યાંથી હોઈ શકે ? અર્થાત્ ન જ હોય. - અહીં વિશેષ એ છે કે, યોગીઓ સર્વકર્મથી મુક્ત એવા આત્મામાં વર્તતા સુખની સાથે સંસારમાં વર્તતા સુખની તુલના કરે છે. તેથી તેઓને દેવલોકમાં પણ વિરહાદિનાં દુઃખો દેખાવાથી વિચારે છે કે, ગમે તેટલી ભૌતિક સામગ્રી હોવા છતાં જ્યાં આવાં દુઃખો હોય ત્યાં સુખ ન કહેવાય; પરંતુ જ્યાં કોઈ કદર્થના ન હોય ત્યાં જ વર્તતું સુખ તે સુખ કહી શકાય. તેથી જ દેવસંબંધી પરલોકનાં સુખોમાં તેઓ નિઃસ્પૃહ બને છે. દેવલોકમાં ખૂબ જ સુખ છે, છતાં યોગીઓ ત્યાં રહેલાં થોડાં પણ દુઃખોને જ જુએ છે, અને એ રીતે દેવલોકનાં સુખોને ગૌણ કરી દુઃખોના ચિંતવનથી વિરક્ત બને છે. તેથી દેવભવમાં પણ યોગીઓ નિઃસ્પૃહ હોય છે. l૭-૧૯ll
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy