SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર અન્વયાર્થ : ૨૨૨ તતઃ તે કારણથી=શ્ર્લોક-૧૭ માં કહ્યું કે મીમાંસા વડે માંસલ એવી સ્વ-પર આગમગોચર બુદ્ધિ જેને છે, તેને જ્ઞાનગર્ભ વૈરાગ્ય છે, અને પછીના શ્લોકોમાં તેની જ પુષ્ટિ અને સિદ્ધિ કરી તે કારણથી, ગીતાર્ચસ્વ ત્ત્વજ્ઞાનનર્મ વૈરાગ્ય સ્થિતમ્ ગીતાર્થને જ જ્ઞાનગર્ભ વૈરાગ્ય ૨હેલ છે. તરસ્ય નિશ્રયા તેની=ગીતાર્થની, નિશ્રા વડે ૩૫વારાવનીતચાપમીષ્ટ ઉપચારથી અગીતાર્થને પણ (જ્ઞાનગર્ભ વૈરાગ્ય) અભીષ્ટ છે= માન્ય છે. ||૬-૩૯૫ શ્લોકાર્થ ઃ શ્લોક-૧૭ માં કહ્યું કે મીમાંસા વડે માંસલ એવી સ્વ-પર આગમગોચર બુદ્ધિ જેને છે તેને જ્ઞાનગર્ભ વૈરાગ્ય છે, અને પછીના શ્લોકોમાં તેની જ પુષ્ટિ અને સિદ્ધિ કરી તે કારણથી, ગીતાર્થને જ જ્ઞાનગર્ભ વૈરાગ્ય રહેલ છે. ગીતાર્થની નિશ્રા વડે ઉપચારથી અગીતાર્થને પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય માન્ય છે. II૬-૩૯લા ભાવાર્થ: જેઓ જૈનદર્શનનાં આગમો ભણીને વિપુલ મતિવાળા હોય અને અન્યદર્શનના પણ તે તે નયના કથનને યથાસ્થાને જોડી શકતા હોય, તેઓ ગીતાર્થ છે; અને સર્વદર્શનોના તાત્પર્યને તેઓ સારી રીતે જાણે છે, અને તેના બળથી જ તેઓને ભવ પ્રત્યેનો વૈરાગ્યભાવ હોય છે. તેવા જીવોનો ભવ પ્રત્યેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે. જ્યારે તેવી વિશિષ્ટ પ્રજ્ઞા જેઓને નથી એવા માષતુષાદિ મુનિઓ પણ કલ્યાણના અર્થી હતા, અને ભગવાનના વચનાનુસાર ગીતાર્થ એવા ગુરુને પરતંત્ર થઇને કલ્યાણ સાધવા પ્રયત્ન કરતા હતા, તેથી તેઓમાં ગીતાર્થની પરતંત્રતાના કારણે સમ્યજ્ઞાન છે, એ પ્રકારનો ઉપચાર ક૨વામાં આવે છે; કેમ કે ગીતાર્થનું જ્ઞાન જ તેમને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવામાં સહાયક બને છે. તેથી તેઓ ગીતાર્થ ન હોવા છતાં ગીતાર્થના જ્ઞાનનો તેઓમાં ઉપચાર કરીને તેઓને શાસ્ત્રકારો જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા કહે છે. અહીં વિશેષ એ છે કે, માષતુષાદિમાં ગીતાર્થના જ્ઞાનનો ઉપચાર કરીને જ્ઞાન નહીં હોવા છતાં યથાર્થ જ્ઞાનવાળા સ્વીકાર્યા, તેથી તેઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા છે તેમ કહેલ છે. અને કેટલાક મોહગર્ભિત અને દુ:ખગર્ભિત વૈરાગ્યવાળા જીવો ભગવત્ ભક્તિવાળા હોવાને કારણે સામગ્રી મળતાં
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy