SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૨૧૦ દરેક દ્રવ્યના દરેક પર્યાયને સ્વતંત્રરૂપે ગ્રહણ કરી શકતો નથી, તો પણ ભગવાનના વચન પ્રત્યેની શ્રદ્ધાના બળથી દરેક પદાર્થ અનંત ધર્માત્મક છે તેમ તે જાણે છે; અને જે રીતે ભગવાને પદાર્થ અનંત ધર્માત્મક કહ્યો છે, તે રીતે જ અનંત ધર્માત્મક જાણવા માટે શક્તિ ફોરવે છે. અને જ્યાં વિશેષ ગ્રહણ ન કરી શકે ત્યાં પણ જે રીતે ભગવાન કેવળજ્ઞાનમાં જુએ છે તેવી જ સ્થિર રુચિ તે પદાર્થમાં તેને રહે છે. અને તે રુચિથી જ દેખાતા પદાર્થોને જોઈને તે વિચારે છે કે, પ્રસ્તુત પદાર્થ પણ જે રીતે ભગવાને કહ્યો છે તે રીતે જ હું માનું છું, અને તે પ્રમાણે જ મારે જાણવાનો છે. તથા પદાર્થ જે રીતે વ્યવસ્થિત છે તે રીતે જ્ઞાન કરીને શક્તિ પ્રમાણે મારા હિતની પ્રવૃત્તિ મારે ક૨વી જોઈએ. આવી રુચિ સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વકાળમાં અસ્ખલિત હોય છે, અને તેના બળથી જ તે પદાર્થને કેવલીની જેમ સંપૂર્ણ જાણે છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે ‘સવયં સમ્મત્તું” આ શાસ્ત્રવચનનો અર્થ એ છે કે સમ્યગ્દર્શન સર્વદ્રવ્ય અને સર્વપર્યાયવિષયક છે; અને સમ્યગ્દષ્ટિ કેવલીની જેમ સર્વપર્યાયને સ્વતંત્રરૂપે જાણતા નથી, છતાં સર્વજ્ઞના વચન અનુસાર જ તેઓની રુચિ સર્વ -પર્યાયવિષયક છે. તેથી તેઓના સમ્યગ્દર્શનને સર્વદ્રવ્ય અને સર્વપર્યાયવિષયક કહેલ છે. II૬–૩૧/૩૨/ અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે સમ્યગ્દષ્ટિને હંમેશાં અનેકાન્ત આગમની શ્રદ્ધા હોય છે, તેથી તેનો બોધ સંપૂર્ણ અર્થને જાણનારો હોય છે. આમ છતાં, સમ્યગ્દષ્ટિ વ્યવહાર કરે છે ત્યારે કોઇ એક દૃષ્ટિથી પણ પદાર્થનું કથન કરે છે, તે વાત બતાવતાં કહે છે . - आगमार्थोपनयनाद्, ज्ञानं प्राज्ञस्य सर्वगम् । कार्य्यादेर्व्यवहारस्तु, नियतोल्लेखशेखरः ।। ३३ ।। અન્વયાર્થ ઃ પ્રાપ્તસ્ય જ્ઞાનું પ્રાશનું=સમ્યગ્દષ્ટિનું, જ્ઞાન ગામમાર્થીપનયનાત્ આગમાર્થનું ઉપનયનયોજન, હોવાના કારણે સર્વમ્ સર્વગત=સંપૂર્ણ વસ્તુવિષયક છે. (આમ છતાં) હાર્યાર્વ્યવહાર: તુ કાર્યાદિને કારણે વ્યવહાર વળી નિયતોìશેઅર: નિયત (પર્યાયના) ઉલ્લેખશેખર=ઉલ્લેખવાળો (હોય) છે. II૬–૩૩॥
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy