SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૬૦ જૈન શાસ્ત્રોમાં ઞપવાવપતેવુ પિ અપવાદ સ્થાનમાં જ શૂયતે સંભળાય છે. પ 3411 * અત્રે ‘પિ’ નો પ્રયોગ ‘F’ના અર્થમાં કરાયો છે. શ્લોકાર્થ : અને મૃગલાના ટોળાથી થતા પરિત્રાસને દૂર કરવારૂપ ફળથી યુક્ત એવી આ જ્ઞાનીની પ્રવૃત્તિ, જૈન શાસ્ત્રોમાં અપવાદ સ્થાનમાં જ સંભળાય છે. II૫-૩૫ા ભાવાર્થ : મૃગલાઓનું ટોળું જંગલમાં ત્રાસ વર્તાવી દેતું હોય છે, પરંતુ જ્યારે સિંહની ગર્જનામાત્ર થાય તો પણ તેઓ ત્યાંથી ભાગી જાય છે, અને એ રીતે તેઓનો ત્રાસ દૂર થાય છે. તે જ રીતે છઠ્ઠી દૃષ્ટિવાળા જ્ઞાની મહાત્મા પણ સંસારની પ્રવૃત્તિ કરીને સિંહની જેમ વર્તે છે, કેમ કે તેઓ આત્માના વીર્યને ફો૨વવા સમર્થ હોય છે. અહીં મૃગલાઓના સ્થાને બે અર્થ ગ્રહણ કરી શકાય છે. (૧) એકથી દુર્જનો અને (૨) બીજાથી કર્મોને ગ્રહણ કરવાનાં છે. તે આ પ્રમાણે - (૧) જ્યારે કોઈ રાજા દીક્ષાનો અર્થી હોય, પરંતુ રાજ્યની ધુરા વહન ક૨ના૨ યોગ્ય પાત્ર તૈયાર ન થાય ત્યાં સુધી રાજ્યાદિની ક્રિયા કરે છે; કેમ કે જો તેમ ન કરે તો દુર્જનોરૂપી મૃગલાઓ સજ્જનોને હેરાન કરે, અને તેમને ધર્માદિની પ્રવૃત્તિ કરવામાં અડચણો ઊભી કરે. તેથી આવા દુર્જનોથી સજ્જનોના રક્ષણને માટે જ આવો રાજા રાજ્યની ધુરા વહન કરે છે. તે વહન અર્થે પુત્રાદિની પ્રાપ્તિ માટે ભોગાદિની પ્રવૃત્તિ પણ કરે છે. અહીં ભોગની મનોવૃત્તિ પણ નથી, પુત્રપ્રાપ્તિનો મોહ પણ નથી, પરંતુ ફક્ત પુત્રપ્રાપ્તિ થાય તો રાજ્યની વ્યવસ્થા ન્યાયનીતિપૂર્વક ચાલે, એવો શુભાશય માત્ર છે. તેથી જ્યાં સુધી પુત્રપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઉદાસીન ચિત્તથી તે રાજ્ય ચલાવે છે. અને માટે જ આ સર્વ પ્રવૃત્તિ નિર્લેપ ભાવથી થતી હોવાથી, અને પરોપકારના કારણરૂપ હોવાથી, ભોગની પ્રવૃત્તિ પણ અપવાદસ્થાનથી શાસ્ત્રમાં સ્વીકારાય છે. (૨) બીજા અર્થથી કર્મોને મૃગતુલ્ય કહ્યાં છે અને જીવને સિંહ જેવો કહ્યો છે. તીર્થંકરના આત્માઓને ચરમભવમાં ભોગએકનાશ્ય કર્મો જ બાકી રહ્યાં હોય છે, જે ભોગવવામાત્રથી નાશ પામે તેવાં હોવાથી, તેને અવગણીને જો તેઓ દીક્ષા લે તો સંયમમાં પણ તે કર્મો વિઘ્ન પેદા કરે છે. તેથી તેવાં કર્મોને મૃગલાંના ટોળાથી
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy