SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૫૮ જેમ લાકડાની પૂતળીમાં યંત્ર ગોઠવેલ હોય અને તે પૂતળીને નૃત્ય ક્રિયા કરાવવામાં આવે ત્યારે, તે પૂતળી જડ હોવાને કારણે તે નૃત્યને અનુરૂપ અંતરમાં કોઈ ભાવ હોતા નથી, પરંતુ હાથપગાદિ અવયવોના કંપન સ્વરૂપ ક્રિયા જ થાય છે, તેવી જ રીતે છટ્ઠી દૃષ્ટિવાળા યોગી અને જ્ઞાની મહાત્માઓને “સંસારના ભાવોથી પોતે પૃથક છે' એવી સ્પષ્ટ બુદ્ધિ હોવાથી, જડ એવા શરીરના માધ્યમથી થતી સંસારની દરેક પ્રવૃત્તિ પ્રત્યે તેઓ ઉદાસીન રહે છે. લાકડાની પૂતળી જેમ ફક્ત યંત્રવ્યવસ્થાથી જ પ્રવર્તે છે અને તેને પોતાને કોઈ ભાવ પેદા થતો નથી, તેમ આવા મહાત્માઓ તથાવિધ કર્મ કે બાહ્યસંજોગોને વશ કોઈ ભોગાદિની પ્રવૃત્તિ કરે છે ત્યારે, તેમાં કોઈ સંશ્લેષના ભાવો તેમને પેદા થતા નથી; અને માટે જ આવી પ્રવૃત્તિ તેમને મોક્ષમાર્ગમાં બાધક થતી નથી.પ-૩૩ અવતરણિકા : પૂર્વશ્લોકમાં જ્ઞાનીની દારુયંત્રસ્થ પાંચાલીના નૃત્યતુલ્ય પ્રવૃત્તિઓ બાધા માટે નથી જ, એમ કહ્યું, તે વાતને પરના કથનની સાક્ષી આપી પુષ્ટિ કરે છે – इयं च योगमायेति, प्रकटं गीयते परैः । लोकानुग्रहहेतुत्वा-त्रास्यामपि च दूषणम् ।।३४।। અન્વયાર્ચ - રૂાં યોગમાયા ર અને આ=જ્ઞાની જીવની સંસારની પ્રવૃત્તિ એ, યોગમાયા છે. રૂતિ એ પ્રમાણે રે. અન્ય દર્શનીઓ વડે પ્રવ જયતે પ્રગટ ગવાય છે=કહેવાય છે. નોવાનુગ્રહ તુત્વાન્ ૨ અને લોકના અનુગ્રહનું હેતુપણું હોવાથી સ્યામ્ ૩પ આમાં પણ=યોગમાયામાં પણ ટૂષણમ જ દૂષણ નથી. પ-૩૪ શ્લોકાર્ચ - ' અને આ યોગમાયા છે, એ પ્રમાણે અન્યદર્શનીઓ વડે પ્રગટ કહેવાય છે, અને લોકના અનુગ્રહનું હેતુપણું હોવાથી યોગમાયામાં પણ દૂષણ નથી. પ-૩મા ભાવાર્થ - જ્ઞાનીની સંસારની પ્રવૃત્તિ એ યોગમાયા છે, પણ ભોગમાયા નથી, એ વાત અન્ય દર્શનિકો કહે છે; અને તે પણ લોકના અનુગ્રહના હેતુથી કરાય છે, તેથી તે
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy