SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ભવસ્વરૂપચિંતાઅધિકાર થવાનો નથી. તેથી પરિભ્રમણ અને નાશ બંનેના ભય અહીં નથી. અહીં વિશેષ એ છે કે સંસારનું સુખ અનાદિથી જીવને અભ્યસ્ત હોવાથી, તથા તેમાં મોહનીયકર્મ અનુકૂળ હોવાને કારણે, વિચારક જીવ પણ સંસારના સુખમાં જ સહેલાઈથી યત્નશીલ હોય છે; જ્યારે આત્મિક સુખનો અભ્યાસ સર્વથા નહીં હોવાથી, અને મોહનીયકર્મ તેને પ્રતિકૂળ હોવાને કારણે, વિચારક જીવો પણ જ્યારે સદનુષ્ઠાનમાં યત્ન કરે છે ત્યારે પણ પ્રાયે આધ્યાત્મિક સુખ સહેલાઈથી મેળવી શકતા નથી. તેમ છતાં, સંસારના સુખની વિડંબના અને આત્મિક સુખની વાસ્તવિકતા વિચારીને જીવ અપ્રમત્ત ભાવથી યત્ન કરે તો અવશ્ય તે સુખને મેળવે છે, અને તેનાથી સદા માટે સુખી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. આ૪-૨વા तदेतद्भाषन्ते जगदभयदानं खलु भवस्वरूपानुध्यानं शमसुखनिदानं कृतधियः । स्थिरीभूते यस्मिन्विधुकिरणकर्पूरविमला । यशाश्री: प्रौढा स्याज्जिनसमयतत्त्वस्थितिविदाम् ।।२७।। અન્વયાર્થ: તત્ તે પૂર્વમાં વર્ણન કરાયેલું પતર્ મવવાનુણાનં આ=બુદ્ધિમાં ઉપસ્થિત એવું આ, ભવસ્વરૂપનું અનુધ્યાન=ચિંતવન અસ્તુ ખરેખર નમિયાને જગતને અભય દેનારું, શમસુનિદ્રાને શમરૂપ સુખનું કારણ છે. વૃક્તધયા (તેમ) બુદ્ધિમાન પુરુષો માને કહે છે. રિમન રિચરીતે તે સ્થિર થયે છતે બિનસમ તત્ત્વરિથતિવિરામ જિનશાસનના તત્ત્વની સ્થિતિને=મર્યાદાને, જાણનારાઓની પ્રૌઢા ચશશ્રી પ્રૌઢ એવી યશરૂપી શ્રી=લક્ષ્મી વિવુરિÉરવિમના ચંદ્રનાં કિરણ અને કપૂર જેવી નિર્મળ રચાત્ થાય છે. II૪-૨ના શ્લોકાર્થ : પૂર્વમાં વર્ણન કરાયેલું, બુદ્ધિમાં ઉપસ્થિત એવું આ ભવસ્વરૂપનું ચિંતવન ખરેખર જગતને અભય દેનારું શમરૂપ સુખનું કારણ છે, તેમ બુદ્ધિમાન પુરુષો કહે છે. જે સ્થિર થયે છતે જિનશાસનના તત્ત્વની મર્યાદાને જાણનારાઓની પ્રૌઢ એવી યશરૂપી લક્ષ્મી ચંદ્રનાં કિરણ અને કપૂર જેવી નિર્મળ થાય છે. I૪-૨ના
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy