SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૪] પ્રબંધ ચિંતામણિ શત્રુઓને પરાજય કરીશ. સૂર્ય છે તે સદા એકલે ફરે છે, અને ચંદ્ર શીતળ છે તે તારાઓના પરિવાર સહિત ફરે છે. તેથી સમજવું કે શીતળ છાયા કેને બહાલી નથી અને આતપ કેને તાપ કરતું નથી ? (અર્થાત્ શીતળ છાયા સર્વને ઇષ્ટ છે અને આપ સર્વને ઉદ્વેગ કરે છે.) હે ઉત્તમ સેવક ! તારા શીતળ સ્વભાવનો ત્યાગ નહીં કરતાં શત્રુઓને મારી નાખજે કે જેથી તારે મને રથ ઉદ્યમ સહિત સાફલ્યતાને પામે. તારી નિવૃત્તિ માતાને તું કઈ વખત દૂર કરીશ નહિ, કેમકે તેના દેખવા માત્રથી તું લેકેર સ્થિતિને પામીશ. આ ભવવિરાગ નામને તારો મેટો પુત્ર ન્યાયવાન છે. તેના જન્મથી જ તેનું બળ સહન કરવાને મેહના સૈનિકો અસમર્થ છે (તે પછીની અવસ્થાના બળનું તે કહેવું જ શું!). આ સંવેગ અને નિrs નામના તારા બે પુત્રે શત્રુનું નિવારણ કરવાવાળા છે. રણક્ષેત્રમાં યુદ્ધ કરતાં તેઓ વિશ્વને વિસ્મય પમાડશે. આ સમ્યક્રષ્ટિ નામને પ્રધાન છે તેને તું તારી પાસે જ રાખજે, કેમકે તેનાથી આ રણ (સંગ્રામ)ની સર્વ કિયા સફળતાને પામે છે. સઘળે ઠેકાણે ક્ષમાદિ (ક્ષમા, સરલતા, મૃદુતા અને સંતોષ) જે તારા ચાર સામંતે છે તેમાંથી એક પણ સંગ્રામમાં મેહને જીતવાને સમર્થ છેઆ વિમીબેધ નામને તારે કેટવાળ છે તે તને નિરંતર બહુ માન કરવા ગ્ય છે, કેમકે યુદ્ધમાં જે શત્રુ જે પ્રકારે જીતવા ગ્ય છે તે સર્વ તને તેજ કહેશે. સામાયિકાદિ કર્મોમાં બીજા પ્રત્યે જોડતે સદ્ધર્મ નામને આ પુરોહિત
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy