SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] અથવા તો આ ચિંતા કરવાથી પણ મારે શું ? કેમકે – જેમણે કૅશિકરૂપી ઉત્તમ મુનિનાયકને હર્ષ પમાડ્યો છે અને જેઓ કુવલયને ( જગતના પ્રાણીઓને અને ચંદ્રવિકાસી કમળને) પ્રતિબધ કરનારા છે તે મારા અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનાર શ્રી જિનચંદ્રમા વક્તાઓને ઘણે ઉદ્યોત આપે છે. ૩. કેઈ ઠેકાણે જીવાભિગમના વચનને અનુસરીને, કે ઠેકાણે તેની ટીકાના વચનને અનુસરીને તથા કઈ ઠેકાણે જંબદ્વીપ પ્રજ્ઞપ્તિને અને કઈ ઠેકાણે કરણીને અનુસરીને તથા કેઈ ઠેકાણે શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણના તુલ્યઅર્થવાળા વિવુંતિના પદસહિત શાસ્ત્રને જોઈને તેમ જ અન્ય ગ્રંથને જોઈને મુગ્ધબુદ્ધિવાળો હું આ ટીકા કરું છું. ૪ * વળી બીજું– કુત્સિત ટીકાને કરનારા કેટલાક પ્રાયે કરીને જે (ગ્રંથ-વાય-પદ વિગેરે) અત્યંત દુર્બોધ હોય તેને પ્રગટ અર્થવાળા છે એમ કહીને ત્યાગ કરે છે અને જે પ્રગટ અર્થવાળે ભાગ હોય તેનું ઘણે પ્રકારે રૂપની સિદ્ધિ વિગેરે વડે વિવરણ કરે છે, તથા વળી નેયાર્થ(દોષ)વાળા અને અતિ તુચ્છ વચનેવડે શિષ્યોને ભ્રાંતિ ઉત્પન્ન કરે છે, તેથી તેઓ શાસ્ત્રને વિપ્લવ (ઉથલપાથલ) કરનારા છે. પ. વિસ્તારને ત્યાગ કરીને તથા આળજાળને દૂર કરીને અને બોધને અનુસરે અર્થને અત્યંત સમજીને મારા કરતાં અજ્ઞાની (અ૫ જ્ઞાની) જીના પ્રતિબંધને માટે હું આ ઉમાસ્વાતિવાચકના વચનની વિવૃતિ (ટીકા) કરું છું. ૬.
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy