SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ કહે છે. હે મુનીન્દ્ર, જ્યાં સુધી હું મહેલમાં જઈ આરામશોભાના પુત્ર મલયસુંદરને સિંહાસનારૂઢ કરીને પાછો આવું ત્યાં સુધી આપ કૃપા કરી સ્થિરતા ધરજે. પછી ગુરુજીને પ્રણામ કરીને રાણી સાથે ઘરે આવ્યો. યુવરાજનો રાજ્યાઅભિષેક કરી નગરમાં અફૂાઈ મહોત્સવ કર્યો. અને દીન અનાથને ઘણું દાન દીધું સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાવી ઉત્સવપૂર્વક પાછો ફર્યો. અને પત્ની સાથે દીક્ષા અંગિકાર કરી. જિતશત્રુ રાજર્ષિ ઉગ્ર વિહારે પૃથ્વી પાવન કરવા લાગ્યા અનુક્રમે સકલાગમના રહસ્યને જાણનાર જિતશત્રુ રાજષિને આચાર્યપદને યોગ્ય જાણી તેમના ગુરૂ મહારાજે પિતાના પદે સ્થાપન ક્ય. અને આરામશોભાને પણ પ્રવર્તિની પદ આપ્યું. અનુક્રમે જિતશગુસૂરિ કહેવાયા. અને અનેક ભવ્ય જીવોને પ્રતિબધી આરામશેભા સાથે અનશન લઈ કાળ કરી દેવલેક ગયા ત્યાંથી મનુષ્ય સુખ પામી કેટલાક ભવે મુક્તિસુખ પણ પ્રાપ્ત કરશે. ઈતિ–આરામશોભા કથા સમાપ્ત . માટે હે ભવ્યજી, તમે પણ આરામશોભાની માફક સમ્યકત્વમાં યત્ન કરે કે જેથી ઉત્તરોત્તર મંગળ માળ પ્રાપ્ત થાય. અસ્તુ..... આ પ્રમાણે વીર પ્રભુના મુખેથી આરામદેભાની કથા સાંભળી સુશ્રાવક આણંદ બે, “હે ભગવંત! પાંચ મહાવ્રતના ભારને વહન કરવા હું અસમર્થ છું માટે આપ પાંચ
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy