SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ કોઈ શરણ નથી. નાગરિક લકે દેશના બાદ પોતપોતાના ઘરે ગયાં ત્યારે સંસારથી ઉદ્વેગ પામેલે સહસ્રમલ ગુરુ પ્રત્યે બોલ્યો; “હે ભગવન્! આ સંસારમાં એવું કેઈ કુકર્મ નથી, જેને મેં ન આપ્યું હોય, હે ભગવન ! હું આપની દેશનાથી. બોધ પામી સંસારથી વિરક્ત થયે છું. માટે હે પ્રભો ! જે હું એગ્ય હોઉં તે મને દીક્ષા આપો.” કેવળી બલ્યા“હે સુંદર પુરુષ ! તું શક ન કર. મેંગ શુદ્ધિ કરી આત્માને નિર્મળ બનાવ. ત્યારે તેણે કહ્યું: “હે ભગવન્! અહીંના ભૂપાલ મારા પર કોપાયમાન થયેલ છે માટે બીજે કક્યાંય જઈ મને દીક્ષા આપ.” કેવળી બોલ્યા, . “હે ભદ્ર! તું નિર્ભય થા. તું સવારે પાછો અહીં આવજે, રાજાના અહીં આવવાથી બધું સારું થઈ જશે.” અહીં રાજા પણ સવારે ધામધૂમ પૂર્વક કેવળીને વાંદવા આવ્યો. સહસ્ત્રમલ પણ કેળવી પાસે આવી બેઠે. કેવળીએ દેશના આપી, નૃપાદિના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ સંબંધી સંદેહને દૂર કર્યા. રાજાએ પૂછયું, હે ભગવન્! તે ચેર ક્યાં છે કે જેણે અમારે આનંદ ઝૂંટવી લીધું છે. તે બેલ્યા, “હે રાજન ! હમણાં તે તારા જમણા ભાગમાં બેઠે છે. હવે તારે તેના પર કોધાદિ ન કરવા જોઈએ, કેમકે તેનું મન હમણાં કુકર્મોથી પાછું વળ્યું છે. તે કરેલાં કર્મોને નષ્ટ કરવા ચારિત્ર ગ્રહણ કરવાની ઉચ્ચ ભાવના રાખે છે. માટે મોક્ષ માર્ગમાં ઉપસ્થિત એવા એને તું સહાય કર.” રાજા તહત્તિ કરી લ્યોઃ “હે પ્રભે !. જેવી આપની આજ્ઞા હશે તેમ જ કરીશ.” પછી સહસ્ત્રમલ
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy