SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ જે પ્રધાન પ્રયજનવાળા છે એટલે ચમત્કારી કાર્યો કરનારા છે તે દેવને પ્રત્યક્ષ છે તે પણ ગિરિમાં તિરહિત થયેલા છે (અન્તર્ધાન પામેલા છે, તેથી મનુષ્યને સાક્ષાત્ દેખાતા નથી, પરંતુ કાળદોષને નાશ થશે અને ઉત્સર્પિણ નામને પ્રતિસમય ચઢતા ભાવવાળ શુભ કાળ આવશે ત્યારે એ કલ્પવૃક્ષ દિ શુભ પદાર્થો મનુષ્યને પણ સાક્ષાત નજરે આવે એ રીતે નિશ્ચય પ્રગટ થશે જ એમાં કંઈ સંશય નથી. | ૩ | આ તીર્થમાં પહેલા આદીશ્વરનાં પગલાં દેવકુલિકા ને રાયણવૃક્ષ વિગેરે હતા, તે જણાવે છે – सोहंति पाउयाओ-मरुदेवीणंदणस्स जत्थ सुहा ॥ महई देउलियाऽवि य-जत्थ य रायायणीरुक्खो ॥३४॥ સ્પષ્ટાઈ–વળી શ્રી શત્રુંજયગિરિ તીર્થમાં જે મુખ્ય શિખર ઉપર મરૂદેવા માતાના નન્દન શ્રી રાષભદેવ પ્રભુની શુભ પાદુકાઓ (પ્રભુનાં પગલાં) અને તે પાદુકા ઉપર મોટી દેવકુલિકા (મે ટો દેરી) છે, કે જ્યાં રાજાની વૃક્ષ (રાયણ વૃક્ષ) પણ છે, અર્થાત રાયણ વૃક્ષની નીચે મેટી દેહરીમાં શ્રી આદીશ્વર પ્રભુનાં પગલાં છે. . ૩૪ जह तं मुक्खं सिहरं-सयलाहतणोहदाइजलणसमं ॥ मुहवित्थारुवयारं-उभयत्थ तहा कयंबगिरी ॥ ३५ ॥ સ્પષ્ટાથે-તે આદીશ્વર પ્રભુનાં પગલાં સહિત રાયણ વૃક્ષવાળું શત્રુંજય ગિરિનું મુખ્ય શિખર જેવી રીતે ભવ્ય જીનાં સર્વપાપરૂપી ઘાસના સમૂહને બાળવામાં અગ્નિ સરખું
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy