SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ વિજ્ઞાન જાહQ->ના વૃક્ષોમાં પુષ્પો પુષ્પની માળાઓ એ સર્વ તૈયાર હોય છે. અને તે પણ વિચિત્ર વર્ણવાળા હોવાથી ચિત્રશાળાની માફક તે વૃક્ષ શોભે છે. જેથી એ વૃક્ષ યુગલિકોને ચિત્રશાળાની ગરજ સારે છે. વળી એ વૃક્ષની નીચે વેરાયેલાં વિચિત્ર વણું પુથી ભૂમિ પણ ચિત્રામણવાળી લાગે છે. ૭ ચિત્રવિર વાપ–આ વૃક્ષનાં પત્ર પુષ્પ ફળો વિગેરે એવા સુંદર રસવાળાં ને વાદવાળાં ને તુષ્ટિ પુષ્ટિકારક છે કે જે ખાવાથી અહિંના મનુષ્યને શિખંડ બાસુદી દૂધપાક દાળભાત શાક ઈત્યાદિ વિચિત્ર રસવતીઓ-ભજન (અથવા અશન પાન ખાદિમ સ્વામિ એ ચારે પ્રકારના આહાર) ખાવાથી જેટલું આનંદ ને સંતોષ થાય છે તેથી પણ અધિક આનંદ ને સંતેષ ત્યાંના યુગલિકોને એ પત્ર પુષ્પાદિ ખાવાથી થાય છે. ૮ મા પાપક્ષ–આ વૃક્ષમાં સુવર્ણના હાર નિહાર મુગટ બાહુબંધ બહેરખાં કુંડલ કડી કંઠા વીંટીઓ વિગેરે સુવર્ણ રત્નનાં ઘરેણાં સરખાં ઘરેણાં ઉત્પન્ન થાય છે, જેથી એ વૃક્ષવડે યુગલિકોને ઘરેણાંની ગરજ સારે છે. ૧ ગુફાવાર વાપસ-આ વૃક્ષ આકારમાં ઘરની જેવા હોય છે જેથી શાસ્ત્રમાં કહેલાં ૧૬ પ્રકારનાં ઘર સરખાં ઘરવાળાં હોય છે તેમાં અગાસી ઝરૂખા માળ છના ઈત્યાદિ સર્વ રચના રાજમહેલ વિગેરે સરખી હોય છે, જેથી યુગલિકને ઘરની ગરજ આ કલ્પવૃક્ષાથી સરે છે. ૨૦ મનન કરાવૃક્ષ–આ વૃક્ષમાં ઉત્તમ ચીનાઈ રેશમી વત્ર સરખાં ને સૂત્ર વિગેરેના વસ્ત્ર સરખાં ની ઉત્પન્ન થાય છે. જેથી યુગલિકને વોની ગરજ આ વૃક્ષથી સરે છે. છે એ પ્રમાણે વિવિધ પ્રધાન સામગ્રીઓ આપના કલ્પવૃક્ષ શ્રી કાબગિરિ તીર્થમાં અત્યારે પણ છે પરંતુ કાળદેષથી દેખાતાં નથી એ ભાવાર્થ છે.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy