SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-પ | ગાથા-૯૫, ૯૬ બોલે અને કેવી ભાષા ન બોલે ? તેનો અધિકાર છે તેથી તે સ્થાનમાં “જગતનું શિવ થાઓ” એ વચનનો અનુપયોગ છે. તથી એ ફલિત થાય કે નગરમાં વર્તતા ઉપદ્રવવિષયક લેમ થાઓ તેમ સાધુ બોલે અને નગરમાં તે પ્રમાણે કાર્ય ન થાય ત્યારે મૃષાનો પ્રસંગ આવે, માટે સાધુ તેવી ભાષા બોલે નહિ એ ચારિત્રની મર્યાદા છે. જ્યારે “જગતનું શિવ થાઓ” તે સ્થાનમાં વિધાનરૂપ વચન નથી પરંતુ પ્રાર્થનારૂપ વચન છે, તેથી મૃષાનો પ્રસંગ નથી. જેમ ભગવાન આરોગ્ય, બોધિલાભ આપો એ પ્રકારની પ્રાર્થના શુભાશયની વૃદ્ધિ અર્થે કરાય છે તેમ જગતમાં અનુપદ્રવ થાઓ એ પ્રકારની પ્રાર્થનામાં દોષ નથી; પરંતુ કોઈ નગરમાં ઉપદ્રવ ચાલતો હોય અને સાધુ કહે કે ક્ષેમ થાઓ અને સાધુના વચનથી તેમ થાય નહિ તેવી સંભાવના હોવા છતાં સાધુ તેમ બોલે તો મૃષાવાદનો પ્રસંગ આવે માટે ચારિત્રની મર્યાદાનુસાર તેવા પ્રસંગે સાધુએ બોલવું જોઈએ નહિ. Inલ્પા અવતરણિકા :વિખ્ય – અવતરણિકાર્ય :વળી સાધુ શું બોલે ? અને શું ન બોલે ? તેનો સમુચ્ચય કરવા અર્થે ‘વિખ્ય'થી કહે છે – ગાથા : मेहं णहं मणुस्सं वा देव त्ति न लवे मुणी । उण्णए अंतलिक्खत्ति इडिमंतत्ति वा वए ।।९६।। છાયા : मेघं नभो मनुष्यं वा देव इति न लपेन्मुनिः । उन्नतोऽन्तरिक्षमिति ऋद्धिमानिति वा वदेत् ।।१६।। અન્વયાર્ચ - મેદં મેઘતે, દં=નભને, વા=અથવા મધુસંમનુષ્યને, તેવકદેવ, ત્તિ એ પ્રમાણે, મુv=મુનિ, ન નિવે=બોલે નહિ. ૩૪UTUsઉન્નત મેઘને ઉન્નત, સંનિg=અંતરીક્ષ તભને અંતરીક્ષ, ઉત્ત-એ પ્રમાણે, વા=અથવા ફિરંત=ઋદ્ધિમાન મનુષ્યને ઋદ્ધિમાન, ઉત્તરએ પ્રમાણે, વા=બોલે. II૯૬in ગાથાર્થ : મેઘને, નભને અથવા મનુષ્યને દેવ એ પ્રમાણે મુનિ બોલે નહિ. ઉન્નત મેઘને ઉન્નત, અંતરીક્ષ નભને અંતરીક્ષ, અથવા ઋદ્ધિમાન=મનુષ્યને ઋદ્ધિમાન, એ પ્રમાણે બોલે. JIGLI.
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy