SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ બંધન – જેના વડે બંધાય તે બંધન. ગ્રહણ કરાયેલા કે ગ્રહણ કરાતા ઔદ્યારિક વિગેરે મુદ્દગલનું પરસ્પર જે જોડાણ-ચેટવું તે બંધન, તે પાંચ શરીરના ભેદે પાંચ પ્રકારે છે. જે કર્મના ઉદયથી આત્મા પૂર્વમાં ગ્રહણ કરેલ ઔદારિક પુદ્ગલે સાથે ગ્રહણ કરાતા દારિક પુદ્ગલને પરસ્પર જોડે તે ઔદારિકબંધનનામ. લાકડા, પત્થર વિગેરેને જોડવા માટે લાખ કે રાળ વિગેરે ચીટકાડનાર દ્રવ્યની જેમ. એ પ્રમાણે વૈકિય વિગેરે ચાર બંનેમાં પણ જાણવું અથવા દારિક-દારિકબંધન વિગેરે પંદર ભેદે પણ જાણવા, તેની વ્યાખ્યા આગળ કરી ગયા છે. જે શરીર પુદ્ગલેને પરસ્પર જોડનાર આ બંધનનામકર્મ ન હોય, તે તે પુદ્ગલે શરીર પરિણમનરૂપે એકઠા ભેગા થયેલા હોવા છતાં પણ જોડાયેલા ન હોવાથી કુંડામાં એકઠા કરેલા સત્ના એટલે ચણાના લોટના ઢગલાને જેમ પવન ઉડાડી-વેરવિખેર કરી મૂકે, તેમ આ પુદ્ગલ એક સ્થાને સ્થિરતા ન પામી શકે. સંઘાતન –જેના વડે દારિક વિગેરે મુદ્દગલે એકઠા કરાય–ભેગા કરાય તે સંઘાતન. તે સંઘાતન પણ પાંચ શરીરના ભેદે પાંચ પ્રકારે છે. જે કર્મના ઉદયથી દારિક શરીરરૂપે પરિણમેલ પુદ્ગલેને આત્મા સંઘાત એટલે એકઠા કરે એટલે એક બીજાને ભેગા કરી આપે તે દારિકસંઘાતનામ. એ પ્રમાણે વૈકિય વિગેરે ચાર શરીરમાં પણ જાણવું. જે પુદગલેને ભેગા કરવાના કારણરૂપ સંઘાતન નામ ન હોય તે બંધ પણ ન થાય. કહ્યું છે કે “ના સંદ્યુતચ વંઘનમ્ ” છુટાનું બંધન ન હોય, એ ન્યાયે. સંઘયણ - એકઠા કરાયેલા શરીરના પુદગલને લોખંડના પટ્ટાની જેમ ઉપકારક જે સંહનન એટલે સંઘયણ, જે હાડકાની રચના વિશેષરૂપે છે. તે સંઘયણ દારિક શરીરમાં જ હોય છે, બીજા શરીરમાં નહિ, કારણ કે તે શરીરો હાડકા વિગેરેથી રહિત છે. તે સંઘયણ વાઋષભનારાંચ વિગેરે છ પ્રકારે છે. (૧) તેમાં વાકાલિકા એટલે ખીલી, ઋષભ એટલે વીંટવાને પાટે, નારાચ એટલે બંને તરફથી મટબંધ એટલે બંને તરફથી હાડકાની પક્કડ, તેથી બે હાડકાઓ બંને તરફથી મર્કટબંધ વડે બંધાયેલા હોય અને તેને પાટાના આકારે ત્રીજું હાડકું વીંટળાયેલું હોય અને તે ત્રણે હાડકાની વચ્ચેથી ખીલાના આકારે વજીનામનું હાડકું હોય છે. તે સંઘયણ વજ ઋષભનારાચ નામે પ્રથમ સંઘયણ છે. (૨) વા એટલે ખીલા વગરનું ઋષભનારીચ નામે બીજું સંઘયણ છે. કેટલાંક આચાર્યો ષભ એટલે પાટા વગરનું વજનારાચ નામે બીજું સંઘયણ કહે છે. (૩) વજ અને ઋષભ વગરનું નારીચ નામે ત્રીજું સંઘયણ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy