SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨. પુદ્દગલ પરાવર્તાનનું સ્વરૂપ ૨૧૧ પ્રશ્ન - અનુભાગબંધ સ્થાનને શું શબ્દાર્થ છે? ઉત્તરઃ- જેમાં જીવ રહે તે સ્થાન કહેવાય. અનુભાગ એટલે રસબંધ એટલે અનુભાગ બંધસ્થાન. એક કષાયવાળા અથવસાય વડે ગ્રહણ કરાયેલા કર્મ પુદ્ગલેને જે વિવક્ષિત એક સમયે બંધાયેલ રસ સમુદાયને જે સમુદાય તે અનુભાગબંધસ્થાન કહેવાય. તે અનુભાગબંધસ્થાને અસંખ્યાતા કાકાશના પ્રદેશ જેટલા છે તે અનુભાગબંધસ્થાનને ઉત્પન્ન કરનારા જે કષાદયરૂપ અધ્યવસાય વિશેષ છે. તે પણ કારણમાં કાર્યને ઉપચાર કરાતું હોવાથી અનુભાગબંધસ્થાનકે કહેવાય છે. તે અનુભાગબ ધના અધ્યવસાયે પણ અસંખ્યાતા કાકાશ પ્રદેશ જેટલા છે. (૧૦૫૧) ૭. બાદર સૂમભાવ પુદગલ પરાવર્ત – ताणि मरंतेण जया पुट्ठाणि कमुक्कमेण सव्वाणि । भावंमि बायरो सो सुहुमो य कमेण बोद्धव्वो ॥१०५२॥ તે બધા રસબંધ સ્થાને જ્યારે જીવક્રમથી કે વ્યુત્ક્રમથી મરણુવડે પશે, ત્યારે તે બાદર ભાવપુદ્ગલ પરાવર્ત કહેવાય. સુક્ષ્મ ભાવપુદ્ગલ પરાવર્તિમાં ક્રમપૂર્વક તે સ્થાને સ્પશે એમ જાણવું. - અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ સર્વે અનુભાગબંધના અધ્યવસાય સ્થાનને જ્યારે એક જીવ કેમપૂર્વક એટલે હારબદ્ધ અને ઉત્ક્રમ એટલે હાર વગર સ્પશે ત્યારે બાદર ભાવપુદ્ગલ પરાવત થાય છે. આને ભાવ આ પ્રમાણે છે. જીવ જેટલા વખતમાં કમસર કે કમ વગર બધાયે અનુભાગબંધ અધ્યવસાયમાં રહી મરણ પામે તેટલા વખતને બાદર ભાવપુદ્ગલ પરાવર્ત કહેવાય છે. ૮. સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્ત : સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્ત જયારે કમપૂર્વક બધાય અનુભાગ બંધ અધ્યવસાય સ્થાનોને મરણવડે સ્પશે, ત્યારે થાય છે. આની વિચારણા આ પ્રમાણે છે. કેઈક જીવ સર્વ જઘન્ય કષાદયરૂપ અધ્યવસાય સ્થાન પર રહી મરણ પામે, પછી જ્યારે તે જ જીવ અનંતકાળ ગયે છતે પ્રથમ અધ્યવસાય સ્થાનની બીલકુલ પાસે જ રહેલા બીજા અધ્યવસાય સ્થાન પર રહી મરે ત્યારે તે મરણ ગણાય. ઉ&મપૂર્વક–કમ વગર જે અનંતા મરણે થયા હોય તથા કાળાંતરે ફરી પણ જો બીજા અધ્યવસાય સ્થાનની બાજુમાં રહેલા ત્રીજા અધ્યવસાય સ્થાને રહેતા મરે ત્યારે ત્રીજું મરણ ગણાય. પણ વચ્ચે થયેલા અનંતા પણ મરણ ગણતા નથી. એ પ્રમાણે ક્રમસર બધાય અનુભાગબંધના અધ્યવસાય સ્થાનોને જેટલા કાળે મરણવડે સ્પશે, તેટલા કાળ વિશેષને સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય. અહીં બાદરપુદ્ગલપરાવર્તની પ્રરૂપણ કરવાથી સૂક્ષમપુદગલપરાવર્ત સહેલાઈથી
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy