SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭. તિર્યચ-મનુષ્ય અને દેવોથી ક્રમશઃ કેટલા ગણી સ્ત્રીએ? સચિત્ત થાય છે. કેમકે ઉનાળામાં અતિ લુઓ (રુક્ષ) કાળ હોવાથી લાંબા ગાળે પાણી જીવ સંસર્ગવાળું એટલે સચિત થાય છે. શિયાળામાં કાળ કંઈક ભેજવાળે હોવાથી પાણી ચાર પ્રહરે સચિત્ત થાય છે. વર્ષાકાળમાં કાળ અતિ ભેજવાળો હોવાથી અચિત્ત પાણી પણ ત્રણ પ્રહર પછી સચિત્ત થાય છે. આ કાળ વીત્યા પછી જે રાખવું હોય, તે પાણીમાં ક્ષાર (ચુને) નાંખવે જેથી ફરી સચિત્ત ન થાય. (૮૮૨) ૧૩૭. તિર્યચ-મનુષ્ય અને દેવોથી ક્રમશઃ કેટલા ગણી સ્ત્રીઓ? હવે તિર્યચીણી, સ્ત્રી અને દેવીઓ, તિર્યંચપુરુષ અને દેવથી કેટલી ગણી અને કેટલી અધિક છે તે કહે છે. तिगुणा तिरूवअहिया तिरियाणं इत्थिया मुणेयव्या । सत्तावीसगुणा पुण मणुयाणं तयहिया चेव ॥८८३॥ बत्तीसगुणा बत्तीसरूवअहिया य तह य देवाणं । देवीओ पन्नत्ता जिणेहिं जियरागदोसेहिं ॥८८४॥ રાગ-દ્વેષને જીતનાર જિનેશ્વરેએ કહ્યું છે કે, પુરુષદ તિયાથી આવેદી તિયચીણી ત્રણ ગણી અને ત્રણ અધિક છે એમ જાણવું. આનો ભાવાર્થ એ છે કે તિર્યચનિ વાળા દરેક પુરુષને ત્રણ ત્રણ તિર્યંચીણી આપીએ તે છેલ્લે ત્રણ તિર્યંચ સ્ત્રીઓ વધે, કે જેને માટે કઈ પણ તિર્યંચપુરુષ હતો નથી. આ પ્રમાણે જ માનવ સ્ત્રી અને દેવીના વિષયમાં પણ વિચારણા કરવી. મનુષ્યમાં માનવપુરુષો કરતાં સ્ત્રીઓ સત્તાવીસ ગુણી અને સત્તાવીશ અધિક છે. દેવપુરુષો કરતા દેવીઓ બત્રીસ ગુણ અને બત્રીસ અધિક છે. ૧૩૮. દશ અચ્છેરા उवसग्ग १ गम्भहरणं २ इत्थीतित्थं३ अभाविया परिसा ४ । कण्हस्स अवरकंका ५ अवयरणं चंदसूराणं ६ ॥८८५॥ हरिवंसकुलुप्पत्ती ७ चमरुप्पाओ ८ य अट्ठसयसिद्धा ९। , अस्संजयाण पूया १० दसवि अणंतेण कालेणं ॥ ८८६ ॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy