SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૬.ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર? ૧૪૧ " બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે. ત્વર પરિગ્રહિતસેવન એ સ્વદારાસતષીને આગળ વ્યાખ્યા કરી તે પ્રમાણે અતિચાર છે. અપરિગ્રહિતસેવન તે પરદાર ત્યાગીને અતિચાર છે. કેમકે વેશ્યા અપરિગ્રહો છે. જ્યારે તેને બીજાએ ભાડે રાખી હોય અને તેને સેવે ત્યારે પરદારાગમનનો દોષ સંભવે છે. કથંચિત્ પદારા થતી હોવાથી વ્રતભંગ રૂપે છે અને વેશ્યા હોવાથી વ્રત અભંગ છે. માટે ભંગાભંગ રૂપ હોવાથી અતિચાર. બીજાઓ વ્રત જુદી રીતે કહે છે. જેમકે પરદારત્યાગીને પાંચ અને સ્વદારાસંતેષીને ત્રણ અતિચારો છે. સ્ત્રીને પાંચ અથવા ત્રણ અતિચારો જાણવા. એની વિચારણું આ પ્રમાણે છે. ૧. અલ્પકાળ માટે બીજાએ ભાડે રાખેલ વેશ્યાને સેવે તે પરદાદાત્યાગીને વ્રત ભંગ છે. કેમકે કથંચિત્ પદારારૂપ હેવાથી અને લેકમાં વેશ્યા પરદારારૂપે ગણાતી ન હોવાથી ભંગ નથી માટે ભંગાભંગરૂપ હોવાથી અતિચાર છે. ૨. અનાથ કે કુલાંગનારૂપ અપરિગૃહિતાનું જે સેવન તે પદારાત્યાગીને અતિચાર છે. કલ્પનાથી તે સ્ત્રી પતિ વગરની હોવાથી પરદારાપણું તેમાં નથી માટે ભંગ નથી અને લેકમાં પરદારાપણે મનાતી હોવાથી ભંગ છે માટે ઉપર પ્રમાણે અતિચાર. બાકીનાં ત્રણે અતિચારો બંનેને હોય છે. સ્ત્રીઓને તે સ્વપુરુષસંતેષ અને પરપુરુષ વર્જનરૂપ ભેદ નથી. સ્વપુરુષ છેડીને બીજા બધા પુરુષો પરપુરુષો છે. પ્રશ્ન –અન્ય વિવાહ વગેરે કરનાર સ્ત્રીને ત્રણ અતિચાર સ્વદારાસતષીની જેમ સ્વપુરુષ વિષયક હોય પણ પાંચ અતિચાર શી રીતે? ઉત્તર-પહેલો અતિચાર તે જ્યારે પોતાને પતિ વારાનાં દિવસેમાં શોક વડે ગૃહિત છે, ત્યારે તે શકનાં વારાનો લોપ કરી પોતે ભોગવે તે અતિચાર. બીજે અતિક્રમ વગેરે દ્વારા પ૨પુરુષ તરફની ઈરછા કરતાં અતિચાર, અથવા બ્રહ્મચારીણી વડે પણ પોતાના પતિના તરફ અતિક્રમાદિ વડે ઈચ્છા કરતાં અતિચાર. બાકીનાં ત્રણ સ્ત્રીઓને પૂર્વની જેમ. ૩. કામ એટલે ભોગવિષયક તીવ્ર અભિલાષ એટલે બીજુ બધું કામ છોડી એક ભાગના ધ્યાનવાળા થવું તે તીવ્રભેગાભિલાષ. સ્ત્રીનાં મોઢા, બગલ, યોનિ વગેરેમાં અતૃપ્તપણે પ્રજનન નાંખી લાંબા ટાઈમ સુધી મડદાની જેમ પડી રહેવું. ચકલે જેમ ચકલીને વારંવાર સેવે તેમ સ્ત્રીને પણ સેવે. ૪. અનંગ એટલે કામ પુરુષ, સ્ત્રી-પુરુષ-નપુંસકને સેવવાની ઈચ્છા કે હસ્ત કર્મ વગેરેની જે ઈચ્છા તે, સ્ત્રીને પણ પુરુષ, નપુંસક, સ્ત્રી સેવવાની ઈચ્છા કે હસ્તકર્મ વગેરેની ઈચ્છા તથા નપુસકને પણ પુરુષ, સ્ત્રી કે નપુંસકને સેવવાની ઈચ્છા કે હસ્ત કર્મની ઈચ્છા. તેના લિંગ વડે કે તેમાં (લિંગમાં) જે ક્રિીડા તે અનંગકીડા.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy