SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાન ભાવથી ખીણુ હાય છે. લાભથી વશ કરેલા તે અમને વનમાં શેાધતા હતા પરંતુ પેાતાના પિતાના આશ્રમમાં ગયા નથી પણ વન વન પ્રત્યે ભમતા હતા.” વેશ્યાનાં આવાં વચન સાંભળી પ્રસન્નચંદ્ર ભૂપાળ વિચાર કરવા લાગ્યા કે, “ અહેા ! મેં મૂર્ખ આ શું કર્યું જે ન્હાના ભાઇના અને પિતાને વિયેાગ પડાવ્યેા. પિતાના સમીપથી ભ્રષ્ટ થએલે તે કેમ જીવી શકશે? જલમાંથી ખહાર કાઢેલું મત્સ્ય કેટલેા વખત જીવે ?” આમ થાડા જળમાં રહેલા મત્સ્યની પેઠે બહુ અતિવાળા તે રાજા દુ:ખથી શય્યામાં પણ સુખ ન પામ્યા. આ વખતે વેસ્યાના ઘરને વિષે વાગતાં વાળાને રાજાએ સાંભલ્યાં, તેથી તેણે કહ્યું. “ આ સર્વ નગરી મ્હારા દુ:ખથી અત્યંત દુ:ખિત થઈ છે, છતાં અત્યારે એવા કાણુ લેાકેાત્તર સુખવાલેા જાગ્યા . જે તેના ઘને વિષે આવા વાજીંત્રાના શબ્દ થાય છે. ? સ્વાર્થના ઇષ્ટપણાને લીધે આ વાત્રાના શબ્દ કેાના હને માટે થાય છે, કે જે મને તે વજ્રપાત સમાન લાગે છે. એ વાત વેશ્યાના કાને આવી. એટલે તરતજ વેશ્યા પ્રસન્નચદ્ર રાજા પાસે ગઇ હાથ જોઈ કહેવા લાગી. “ મહારાજ ! પૂર્વે મને કોઈ નિમિત્તિએ કહ્યુ હતું કે હારા ઘરને વિષે કાઈ યુવાવસ્થાવાલા મુનિ આવશે. તેને તું પેાતાની પુત્રી પરણાવજે. આજેજ મ્હારા ઘરે ખલદની પેઠે વ્યવહારના અજાણુ કાઇ સુવાવસ્થાવાલા મુનીશ્વર આવી ચડયા હતા તેને મેં મ્હારી પુત્રી પરણાવી. તે વિવાહ પ્રસંગે મ્હારા ઘરને વિષે ગીત અને વાજીત્રાના શબ્દો થતા હતા તેથી મે આપના દુ:ખની વાત જાણી નથી. માટે આપ મ્હારા અપરાધ ક્ષમા કરે. ” પછી પ્રસન્નચંદ્ર રાજાએ જેમણે પ્રથમ વલચીરીને જોયા હતા તે ચિત્રકારોને વેશ્યાને ત્યાં આવેલા મુનિને એલખવા માટે માલ્યા, ચિત્રકારોએ પણ ત્યાં જઇ તે કુમારને આલખ્યા. પછી તેઓએ ભૂપતિ પાસે આવી સર્વ યથાર્થ વાત નિવેદન કરી. રાજા, જાણે સારૂં સ્વપ્ન દીઠું. હાયની ? એમ બહુ હર્ષ પામ્યા. પછી પ્રસન્નચંદ્ર રાજાએ તે પેાતાના બંધુ વલ્કલચીરીને સ્રાસહિત હસ્તિ ઉપર બેસારી પેાતાના ઘરપ્રત્યે લાન્યા. અનુક્રમે ભૂપતિએ તેને સત્ર વ્યવહાર શીખવ્યેા. કારણ લેાકા પશુઆને પણ શિક્ષણ આપે છે તેા પછી મનુષ્યાને શિક્ષણ આપવું એમાં તે શું ? ભૂપતિ પોતાના ન્હાના મને બહુ રાજ્ય કન્યાઓ પરણાવી તેમજ રાજ્યના ભાગ આપી કૃતાથ થયા. વલ્કલચીરીએ પણ તે પેાતાની ઇષ્ટ સ્ત્રીઓની સાથે કેટલા કાળ વિષયસુખ ભાગવ્યું. એકદા વલ્કલચીરીનેા માર્ગમિત્ર પેલા રથિક, ચારે આપેલું સુવર્ણાદિ દ્રવ્ય વેચતા હતા એવામાં પેલા ચારે જેનું જેનું દ્રવ્ય ચાયું હતું તેણે તત્કાલ એલખી કાઢયું. તેથી તેઓએ તુરત તે વાત રક્ષક લેાકેાને કહી. રક્ષકાએ પણ રથિકને ખાંધી તુરત રાજસભામાં આણ્યા. ત્યાં તેને વલ્કલચીરીએ પૂર્ણ કૃપામય દ્રષ્ટિથી જોયા. રાજાએ પણ પેાતાના ન્હાના બંને માર્ગમાં ઉપકાર કરનારા તે રથિમ્ને એલખીને છેડી મૂકયા. કહ્યુ છે કે, સંત પુરૂષા ઉપકારથી વિમુખ થતા નથી.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy