SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર, હવે અહીં વલ્કલચીરી નગરવાસી જનેને “હું આમ જાઉં કે આમ ? એમ પૂછતે છતો સર્વ હવેલીઓને જોઈ ભ્રાંતિ પામે. મુગ્ધ બુદ્ધિવાળો તે સ્ત્રીઓને અને પુરૂષને મુનિની બુદ્ધિથી હે તાત! નમસ્કાર કરૂં છું.” એમ કહેતે છતે હસાવતા હતા. સર્વ નગરમાં ભમીને પછી તે વકલચીરી છોડેલા અખ્ખલિત બાણની પેઠે એક વેશ્યાના નિવાસ ઘર પ્રત્યે ગમે ત્યાં તે વેશ્યાને તાપસ અને તેણુના ઘરને આશ્રમ માનતે છતે કહેવા લાગ્યું “હે તાત! હું આપને વંદન કરું .” વળી તેણે પ્રાર્થના પૂર્વક કહ્યું કે, “હે મહર્ષિ! મને રહેવા માટે એક ઝુંપડી આપે અને આ દ્રવ્ય મનુષ્યના ભાડાને બદલે ” વેશ્યાએ પણ “હે સાધે! આ આશ્રમ આપને છે અંગીકાર કરે.” એમ કહીને તેમના શરીરને શુદ્ધ કરવા માટે હજામને બેલા. હજામ પણ તે મુનિના શરીરને સ્પર્શ કરવા ઈચ્છતા હતા નહિ તે પણ તેણે વેશ્યાના આદેશથી તેમના સુપડા સમાન નો ઉતાર્યા. પછી વેશ્યાએ તત્કાલ વસ્ત્ર ઉતરાવી નખાવવા પૂર્વક સ્નાન કરાવીને ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં વલ્કલીરીએ કહ્યું “હે તપાધન! તમે મહારે આ જન્મથી માંડીને ધારણ કરેલો વેષ ઉતરા. નહીં.” વેશ્યાએ કહ્યું “આ મહર્ષિઓના આશ્રમમાં અતિથિ રૂ૫ તમારે ભક્તિથી કરેલે સત્કાર કેમ નથી ઈચ્છતા? હે મહામુનિ ? જો તમે અમારા આશ્રમના આચાર અહિં અમારા આશ્રમમાં ઈચ્છે તેજ તમારો આશ્રમ નિચે મળશે. ** પછી તે આશ્રમના લાભથી વલ્કલચરી ગારૂડીએ વશ કરેલા સર્પની પેઠે પિતાના દેહને કંપાવ્યા વિના તે ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યો. વેશ્યાએ તે મહા મુનિના જટા સમાન કેશને તેલથી મર્દન કરી ધીમે ધીમે ઉન સમાન નિર્મલ બનાવ્યા. વેશ્યાએ તેલથી શરીરે મર્દન કરેલા તે વલ્કલચીરી ખર્ચન કરેલી ગાયની પેઠે સુખ નિદ્રા યુક્ત નેત્રવાળા થવા લાગ્યા. સુગંધી અને કાંઈક ઉના એવા જલથી સ્નાન કરાવીને વેશ્યા એ તેમને ઉત્તમ વસ્ત્રાલંકારે પહેરાવ્યા. વેશ્યાએ પોતાની એક પુત્રી સાથે વલ્કલચીરીને પાણી ગ્રહણ કરાવ્યું. તે વખતે વકલચિરિના હસ્તગત થએલી તે કન્યા જાણે સાક્ષાત્ ગૃહસ્થોની લક્ષમીજ હોયની? એમ શોભતી હતી. આ અવસરે સર્વે વેશ્યાઓ તે વર કન્યાને ગીત ગાતી હતી તેથી તે મુનિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “આ મુનીશ્વરો શું ભણતા હશે ?” વેશ્યાઓએ મંગલ વાજીંત્રો વગડાવ્યાં તેથી તે તે વકલચીરીએ “આ શું ?” એમ કહીને બ્રાંતિ પામતા છતા પિતાના કાન બંધ કરી દીધા. હવે પ્રસન્નચંદ્ર રાજાની આજ્ઞાથી જે વેશ્યાઓ તાપસને વેષ લઈ વલ્કલચીરીનું હરણ કરવા માટે વનમાં ગઈ હતી તેઓ પાછી આવીને ભૂપતિને કહેવા લાગી. “હે રાજન્ ! અમેએ તે તે પ્રકારે કરીને તે કુમારને લેભ પમાડે, જેથી તે અમોએ બતાવેલા સંકેત સ્થાન પ્રત્યે આવ્યો હતો પરંતુ તેટલામાં તેના પિતાને દૂરથી આવતા જોઈ શ્રાપના ભયથી અમે નાશી આવીએ કારણ સ્ત્રીઓ સ્વ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy