SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરદ્ધ. દર્શન પિતાને પવિત્ર કરનારું જલ વિનાનું નામ જાણવું. તીર્થના તપનું ફલ પરલોકમાં કહેલું છે. પરંતુ માતારૂપ તીર્થ તે નિચ્ચે આ લેકમાં સિદ્ધ ફલ આપે છે, હર્ષના આંસુથી ભિંજાઈ ગએલા મુખવાળા અને નમાવેલા મસ્તકવાલા નમિ ભૂપતિએ ચારિત્રધારી પોતાની માતાને કહ્યું. “હે માતા આપનું કહેવું સત્ય છે. એમાં કાંઈ વિચાર કરવા જેવું નથી તેમાં પણ આ મુદ્રા મને “ તું યુગબાહુને પુત્રી છે, એમ જણાવી આપે છે. હારે નિર્વિકલ્પપણે હોટે ભાઈ પિતાની પેઠે માનવા. ગ્ય જ છે. તે પણ હે માતા! જેના બોલવાનું ઠેકાણું નથી તેને કેમ છોડી દેવાય? સર્વથા ગુણ યા દેષને કરનાર લેકની અવશ્ય પરીક્ષા કરવી જોઈએ કારણ કે લોકમાં જેને સારા આચાર હોય તે જ વિશ્વાસનું પાત્ર છે. જે ન્હાના ભાઈ ઉપરના સ્નેહને લીધે હોટો ભાઈ તેના સન્મુખ આવે તો તેમને ભાકારી એવો વિનય કરું. ટેટા પુરૂષનું અખંડિત એવું વીરવત તો એ જ છે કે તેમણે ધનને વિષે લોભ નહિ કરતાં માનને વિષે કરવો તેમજ આયુષ્યને વિષે કરે. તેમજ આયુષ્યને વિષે તૃણું નહિ રાખતાં કીર્તિને વિષે રાખવી. જેમ મૂલ સૂકાઈ ગયે છતે હેટું વૃક્ષ પણ ફલદાયી હોતું નથી તેમ માન ગયે છતે યશ સમૂહ ક્યારે પણ રહી શકતો નથી. પછી પોતાના સુભટેએ ઘાલેલો ઘેરે સુવ્રતા સાધ્વીની આજ્ઞાથી નમિ રાજાએ છોડાવી નાખે. સુત્રતા મને હાસતી પણ નમિ રાજાની રજા લઈ કિલ્લાના ગરનાલાને રસ્તે થઈ ચંદ્રયશાના રાજમહેલમાં ગઈ. ચિતાં આવેલાં તે પોતાની માતા રૂપ સાધ્વીને જોઈ અને તેમને ઓળખી ચંદ્રયશા રાજાએ અભ્યત્થાનાદિ પૂર્વક નમસ્કાર કર્યો. સુત્રતા પિતે તેને ધર્મલાભ આપી ચંદ્રયશાએ આપેલા આસન ઉપર લોકના નમસ્કાર પૂર્વક બેઠાં. પ્રથમ મહાસતીએ, ચંદ્રયશા ભૂપતિને પોતાની વાત નિવેદન કરી અને પછી નમિ રાજા પિતાને (ચંદ્રયાને) ભાઈ થાય છે. એમ જણાવ્યું. નમિ રાજા પોતાના ન્હાના ભાઈ થાય છે એ વાત સાંભળીને ચંદ્રયશા ભૂપતિ સ્વજન પુરૂષ સહિત હર્ષ, ઉત્સાહ અને લજજાનું પાત્ર બની ગયે. સર્વ પ્રાણીઓને સારાં પુત્ર સ્ત્રી મળવા સુલભ છે પરંતુ સગો ભાઈ મલ બહુ મુશ્કેલ છે. તે તે જે પૂર્વનું પુણ્ય હોય તે જ મલે. સેનાસહિત ચંદ્રયશા ભૂપતિ નગરની બહાર નિકળી ન્હાના ભાઈને મળવા ચાલ્યો એટલે નમિરાજા પણ તે વાત જાણીને તુરત સામે ચાલ્યો, હર્ષ વ્યાસ ચંદ્રયશા ભૂપતિએ, બાહ્ય શરીરથી જાણે પિતાના ન્હાના ભાઈને મનની અંદર પિસારી દઈને એકજ થઈ જવાને ઈચ્છતો હોયની? એમ આલિંગન કર્યું. સમાન આકૃતિ, સમાન વર્ણ અને સમાન અંગપ્રમાણવાલા તે બન્ને ભાઈઓ, એક માતા પિતાપણાથી (સગા ભાઈઓ હોવાથી) પરસ્પર બહુ પ્રીતિના સ્થાન થયા. પછી હર્ષ પામેલા ચંદ્રયશા રાજાએ તેજ વખતે વેગથી નમિ બંધુને મોટા ઉત્સવપૂર્વક સુદર્શનપુરને રાજ્યાભિષેક કર્યો અને પોતે સંગને અભિલાષ ત્યજી દઈ તથા તે ન્હાના બંધને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy