SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્થલિભદ્રસ્વામી ! નામના અતિમ શ્રુતકેવલીની કથા. ( ૧૧ ) બીજે દિવસે સવારે વેશ્યાએ શિખવાડયા પ્રમાણે શ્રિયકે રાજસભામાં સર્વને એક એક કમલ આપ્યું. તેમજ વચને પણું મદનલના રસથી લેપન કરેલું એક કમલ આપ્યું. કમલની અદ્ભૂતતા જોઈ રાજાદિ લેાકેા “ આ કમલ ક્યાંથી લાવ્યા ? એમ પૂછતા છતાં પોત પોતાની નાસિકા આગલ લઇ મુંધવા લાગ્યા. વરરૂચિએ પણ કમલને પોતાના નાક આગલ સુંઘવા લીધું, તેથી તેણે રાત્રીએ પીધેલી - ચંદ્રહાસ સુરા તુરત ત્યાંજ વસી કાઢી. પછી આ વિપ્રના ડાળ રાખનારા અને મદ્યપાન કરવાથી અંધન કરવા ચેાગ્ય એવા વરરૂચિને ધિક્કાર છે. ” આ પ્રમાણે રાજાદિ લેાકેાએ તિરસ્કાર કરેલા વરરૂચિ સભામાંથી ઘરે ચાલ્યા ગયા. પછી વરરૂચિએ બ્રાહ્મી પાસે સુરાપાનનું પ્રાયશ્ચિત્ત માગ્યું પણ તેઓએ તા કહ્યું કે “ મદ્યપાનના પાપને નાશ કરનારૂં કાંઈ નથી. તેથી વરરૂચિએ તે પાપના ભયથી ઉકાળેલા સીસાનું પાન કરી પ્રાણના ત્યાગ કર્યા. સ્થૂલિભદ્ર, શ્રુતસમુદ્રના પાર પામેલા શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે ચારિત્ર લઈ દીક્ષા પાલતા હતા. એકદા વર્ષાઋતુ સમીપ આવી એટલે ત્રણ શિષ્યાએ શ્રી સૌભૂતિવિજય ગુરૂને નમસ્કાર કરી આગ્રહથી જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં એકે ચાર માસ પર્યંત ઉપવાસ કરી સિહની ગુફા આગલ કાર્યાત્સગે રહેવાના ઘાર અભિગ્રહ લીધેા. ખીજાએ પણ તેનીજ પેઠે ચાર માસ પર્યંત ઉપવાસ કરી સર્પના રાડા ભાગલ કાયાત્સગે નિવાસ કરવાના ઘાર અભિગ્રહ લીધેા. ત્રીજાએ પણ ચાર માસના ઉપવાસ કરી કૂવાના મંડાણ ઉપર કાયાત્સગે રહેવાના અભિગ્રહ લીધા. પછી સ્કુલભદ્રને ચેાગ્ય જાણી ગુરૂએ તેમને કાંઈ પણ અભિગ્રહના આદેશ આપ્યા સ્કુલભદ્રે ગુરૂને નમસ્કાર કરી કહ્યું. “ હે ગુરૂ! કાશા વેશ્યાને ત્યાં એવી ચિત્રી ચિત્રશાલા છે કે જેને જોઇને રાગરહિત પુરૂષ પણ અતિશય રાગી થઈ જાય છે. હું તે ચિત્રશાલામાં નિત્ય છ રસનું સેાજન કરતા છતા અખંડ એવા બ્રહ્મચર્યને પાળી ચાર માસ પર્યંત રહીશ એ મ્હારો અભિગ્રહ છે. જ્ઞાનાતિશયવાલા ગુરૂએ તેને ચેાગ્ય જાણી રજા આપી. પછી સર્વે મુનિએ પેાત પેાતાને સ્થાને ગયા. ને કે શાંત અને તીવ્ર તપ કરવામાં તત્પર એવા તે મુનીશ્વરાને જોઈ સિદ્ધ, સ અને અરઘ તે શાંત થઈ ગયા પણ કાશા વેશ્યા તે પાતાને આંગણે આવેલા સ્કુલિભદ્રને જોઈ ખહુ હર્ષ પામતી છતી તુરંત હાથ જોડી તેમની આગલ જઈ ઉભી રહી. પછી “ વ્રતના ભારથી વિધુર થએલા અને સુકેામલ સ્વભાવવાલા આ મુનિનું ચિત્ત ચારિત્ર પાલવામાં શિથિલ થયું જણાય છે અને તેથીજ તે અહીં આવ્યા છે. ” એમ ધારી કાશાએ કહ્યું. “ હે નાથ ! આપ ભલે પધાર્યાં. હું... આપનું શું કામ કરૂં ? મને આજ્ઞા આપો. આ મ્હારૂં શરીર અને આ પજિનાદિ સર્વ આપ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy