SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૪ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ '' આએ રાજાના જોતાં છતાં તેમ કર્યું પણ પેલી એક દુરાચારિણીએ તે ભૂપતિને કહ્યું કે “હું તે। આ હસ્તિથી ભય પામુંછું.” રાજાએ ક્રોધથી તેને જળથી ઉત્પન્ન થએલા કમળદડનેા પ્રહાર કર્યાં જેથી તે રાણી કૃત્રિમ મૂર્છા પામીને પૃથ્વી ઉપર પડી ગઈ. રાજાએ બુદ્ધિથી તેને અસતી જાણી નિશ્ચય કર્યો કે “ વૃદ્ધ સેાનીએ કહી હતી તે આજ દુરાચારિણી દે.” વળી ભૂપતિએ તે રાણીના વાંસામાં સાંકળના પ્રહારથી થએલાં ચિન્હા જોયાં તેથી તેણે ટચકારા કરી હાસ્યપૂર્વક કહ્યું. “ તું મદોન્મત્ત હસ્તિની સાથે ક્રીડા કરે છે, છતાં આ લાકડાના હસ્તિથી ભય પામે છે ? વળી સાંકળના પ્રહારથી ખુશી થાય છે, છતાં કમળદડના પ્રહારથી મૂર્છા પામે છે ? પછી ક્રોધથી રાતા નેત્રવાળા તે ભૂપતિએ વૈભાર પર્વત ઉપર જઈ ત્યાં તેજ હસ્તિ ઉપર બેસીને આવવાની મહાવતને આજ્ઞા કરી. પછી રાણી સહિત મહાવતને હસ્તિ ઉપર બેસારી ભૂપતિએ તે મહાવતને આજ્ઞા કરી કે “ પર્વતના વિષમ પ્રદેશ ઉપર આ હસ્તીને લઈ જઈ પછી પાડી નાખજે, અને તે હસ્તીના પડવાથી તમારા અનૈના નાશ થશે.” રાજાની આવી આજ્ઞાથી મહાવત હસ્તીને પર્વતના શિખર ઉપર લઈ ગયા, ત્યાં તેને એક પગ ઉંચા રખાવી ત્રણ પગે ઉભા રાખ્યા. તે જોઇ લેાકેા હાહાકાર કરી કહેવા લાગ્યા. “ હે નરેશ્વર ! નિશ્ચે તમારે આ હસ્તીને મારવા ચેાગ્ય નથી.” લેાકેાના આવા પાકારને પણ જાણે પોતે ન સાંભળ્યેા હાયની ? એમ ભૂપતિએ તેને પાડી નાખવાનું કહ્યું. જેથી મહાવતે હસ્તીને બે પગે ઉભા રાખ્યા. “ હા હા આ હસ્તિ વધ કરવા ચેાગ્ય નથી. એમ લેાકેા કહેતા પણ રાજા માન રહ્યો તેથી મહાવતે હસ્તીને ત્રણ પગ ઉંચા રખાવી ફક્ત એક પગે ઉભા રાખ્યા. હસ્તીનું મરણુ જોવા અશક્ત થએલા લેાકેા હાહાકાર કરતા છતા ઉંચા હાથ કરીને રાજાને કહેવા લાગ્યા. “ હે મહારાજ ! દક્ષિણાવર્તી શ ંખની પેઠે દુર્લભ એવા આ હસ્તિ મહુ શિક્ષિત અને ખીજા હસ્તીએથી ઉત્તમ છે. આપ ઇચ્છા પ્રમાણે કરી શકે તેમ છે પણ આ હસ્તી તેા અપરાધી નથી. આપ હસ્તીને મરાવી નાખશે! તે લેાકમાં આપના અવિવેકથી ઉત્પન્ન થએલી નિર’કુશ એવી અપકીર્તિ ફેલાઇ જશે. હું નરેશ્વર ! આપ પોતાના ચિત્તમાં કાર્યાકાર્યના વિચાર કરી પ્રસન્ન થઈ આ દુ ભ એવા હસ્તિરત્નનું રક્ષણ કરો.” રાજાએ “એમ થાએ” એવું કહી ફ્રી લેાકેાને કહ્યું. “ હું લેાકેા ! તમે ન્હાશ વચનથી તે મહાવતને હસ્તિનું રક્ષણ કરવાનું કહેા.” પછી લેાકેાએ મહાવત પાસે જઇ તેને કહ્યું. હું મહાવત તું આટલી ઉંચી ભૂમિ ઉપર લઇ ગએલા હસ્તિને પાછા ઉતારવા શક્તિવંત છે ?” મહાવતે કહ્યું, “જો પૃથ્વીનાથ અમને અનેતે અભય આપે, તેા હું આ હસ્તીરનને ઉતારૂં.” પછી લેાકેાની વિનંતિ ઉપરથી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy