SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજબસ્વામી નામના ચમકેવલીની કથા. - ૩૧૩) પેઠે ધીમે ધીમે ગેખ તરફ જવા લાગી. ગોખની નીચે ઐરાવત હસ્તિ સમાન હેટા શરીરવાલ રાજપ્રિય હસ્તિ બંધાતું હતું. રાણી હસ્તિના મહાવત ઉપર આસક્ત હતી, તેથી તે ગેખના પાટીયાને દૂર ખસેડી ગોખ બહાર ઉભી રહી. હસ્તિએ તેને નિત્યના અભ્યાસથી સંઢ વડે પકડી ભૂમિ ઉપર મૂકી. રાણીને પૃથ્વી. ઉપર ઉભેલી જોઈ મહાવતે ક્રોધ કરી “અરે દાસી! તું મેડી કેમ આવી? એમ કહીને તેને હસ્તિની સાંકળવડે પ્રહાર કર્યો. રાણીએ કહ્યું. “હે નાથ મને હારે નહિ. આજે રાજાએ કઈ ન અંત:પુરને રક્ષક મેક છે તે જાગતો હોવાથી મહારે દેકાવું પડયું છે. હે વલ્લભ ! બહુ વખત પછી તે ઉંઘી ગયે એટલે લાગે જે હું તમારી પાસે આવી છું માટે આપ હારા ઉપર ક્રોધ ન કરે.” આવાં રાણીનાં વચનથી શાંત થએલે મહાવત તેની સાથે નિર્ભયપણે કીડા કરવા લાગ્યું. ધીરજના ભંડારરૂપ તે રાણી રાત્રી વીતી જવા આવી ત્યારે હસ્તીની સુંઢના આશ્ર યથી પોતાને સ્થાનકે ગઈ. આ સર્વ વાત જાણી દેવદત્ત સેની કે જે અંતઃપુરનું રક્ષણ કરતો હતો તે વિચાર કરવા લાગ્યો કે “અડે ! અશ્વના ખૂંખારાના શબ્દ જેવું સ્ત્રીઓનું ચરિત્ર જાણવાને કણ સમર્થ છે? અહો ! અંતપુરમાંથી નહિ નીકળી શકવાને લીધે જેમને સૂય પણ જોઈ શકતો નથી એવી આ રાજસ્ત્રીઓ પણ પોતાના શીલવતને ખંડિત કરે છે તે પછી બીજી સ્ત્રીઓની તે વાત જ શી ? તેઓ જલાદિ વસ્તુને લાવવા માટે નગરમાં ચારે તરફ ભટક્તી હોય એવી સામાન્ય ઘરની સ્ત્રીઓના શીળનું રક્ષણ તે ક્યાંથી થાય?” આમ વિચાર કરી પુત્રવધુના દુરાચરણથી થએલા ક્રોધના વિચારને ત્યજી દઈ દેવાદારથી છુટેલા પુરૂષની પેઠે સૂઈ ગયે. પ્રભાત થઈ તે પણ તે વૃદ્ધ સોની જાગ્યે નહિ, તેથી તે વાત દાસીઓએ રાજાને કહી. રાજાએ કહ્યું.. એ કાંઈ કારણથી થયું હશે માટે તે જાગે ત્યારે મારી પાસે લાવજે.” ભૂપતિની આવી આજ્ઞા સાંભળી સેવક લકે ગયા. દેવદત્ત સોનીએ પણ આજ બહુ કાળે સાત દિવસનું નિદ્રાસુખ અનુભવ્યું. અર્થાત તે સાત દિવસ સુધી સૂઈ રહ્યો. સાત રાત્રી પૂરી થએ તે જાગ્યો એટલે સેવક લેકે તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને આ પ્રમાણે પૂછયું. “જેમ દુર્ભાગી પુરૂષને કામિની સ્વીકારતી નથી તેમ નિદ્રાએ. ત્યજી દીધેલ તે સાત દિવસ સુધી કેમ સૂઈ રહ્યો. તને મહારા તરફથી અભય છે.” તે ઉપરથી તેણે રાત્રીએ રાણી, હસ્તી અને મહાવત સંબંધી જે વૃત્તાંત જોયું હતું , તે કહી દીધું પછી રાજાએ તેને અનુકંપા દાન આપી વિદાય કર્યો, જેથી તે વૃદ્ધ દેવદત્ત સેની, પોતાના પરાભવથી થએલું જીણું દુ:ખ ત્યજી દઈ સુખે રહેવા લાગ્યો. - હવે રાજાએ તે પિતાની દુરાચારિણી સ્ત્રીની પરીક્ષા કરવા માટે એક લાકડાને માટે હસ્તિ કરાવીને સર્વે રાણુઓએ કહ્યું. “આજે રાત્રીમાં મેં સવમ જોયું છે તેથી વસ્યરહિત થઈ તમારે મારી સમક્ષ તે હસ્તિ ઉપર બેસવું.” સર્વે રાણી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy