SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રીજ બુસ્વામી નામના ચમકેવલીની કથા. (૩૦) (પદ્મશ્રી કહે છે કે , “ હે નાથ ! તમે પણ આ પ્રાપ્ત થએલા વિષય સુખને ત્યજી દઈ પાછળથી વાનરની પેઠે પસ્તા કરતા નહીં.” જંબૂકુમારે કહ્યું “હે પદ્મશ્રી ! હું અંગારા કરનારા પુરૂષની પેઠે કયારે પણ વિષયમાં નિ“ચે અતૃપ્ત નથી. સાંભલ તે અંગારા બનાવનારાનું દ્રષ્ટાંત: કઈ એક અંગારા બનાવનાર પુરૂષ, ઉનાળાની ઋતુમાં સાથે બહુ પાણી લઈ વનમાં અંગારા બનાવવા માટે ગયે. અંગારા બનાવતા તેને અગ્નિના અને સૂર્યના કિરણના તાપથી બહુ તરસ્યા લાગવા માંડી. તેથી અગ્નિથી તપ્ત થએલો તે અંગારકારક પુરૂષ, વનના હસ્તિની પેઠે વારંવાર પોતાના શરીર ઉપર, પાણી છાંટવા લાગ્યા તથા પીવા લાગ્યો. આમ કરતા સઘળું જલ ખુટી ગયું પણ તેની તૃષા શાંત થઈ નહીં. પછી તે પુરૂષ જેટલામાં વાવ વિગેરેમાં જલપાન કરવા જવા લાગે તેટલામાં તૃષ્ણાથી પીડા પામે તે રસ્તામાં મૂર્છા આવવાથી પૃથ્વી ઉપર પડી ગયો પણ એટલું સારું થયું કે તે દૈવયોગથી જાણે શિતલતાની માતા હેયની ? એવી કઈ માર્ગના વૃક્ષની ગંભીર છાયામાં પડે. વૃક્ષની નીચે શીતલ છાયામાં પડેલા તે પુરૂષને સુખ રૂપ જલની નદી સમાન નિદ્રા આવી. પછી તે પુરૂષે મંત્રથી પ્રેરેલા અગ્નિશસ્ત્રની પેઠે સ્વમમાં સરેવર, વાવ, કૂવા વિગેરે સર્વ જલાશને પાણી પીને સૂકવી નાખ્યાં. સ્વમામાં આવી રીતે બહુ જલપાનથી પણ જેની તૃષા શાંત થઈ નથી એવા તે પુરૂષે ભમતા ભમતા કાદવવાલા પાણીથી ભરેલા એક જ કૂવાને દીઠે. કૂવામાં પાણી બહુ ઓછું હોવાને લીધે તે અંગારકારક પુરૂષ તેમાંથી બાવડે પાણી પી શક્યો નહીં તેથી જીભવડે ચાટવા લાગ્યા તે પણ તેની દાહજવરથી પીડાતા માણસની પેઠે કોઈપણ રીતે તૃષા શાંત થઈ નહીં. જ ખૂકુમાર પદ્મશ્રીને કહે છે કે, હે પ્રિયે આ દષ્ટાંતમાં અંગારા બનાવનાર પુરૂષ, તે જીવ જાણ અને વાવ વિગેરેના સરખા વ્યંતર તથા દેવતાઓના ભેગે જાણવા. જે જીવ સ્વર્ગાદિ સુખ ભોગવવાથી પણ તૃપ્ત થયે નહીં તે માણસનાં સુખ ભેગવવાથી કેમ તૃપ્ત થશે. માટે તું આગ્રહ કર નહીં. પછી પદ્યસેનાએ કહ્યું. “હે નાથ ! નિચે મનુષ્યને સ્વભાવ કર્મને આધિન છે. માટે આપ ભેગોને ભેગ. ભાગમાં પ્રવૃત્તિ કરાવનારાં તેમજ ભેગથી નિવૃત્તિ કરાવનારાં બહુ દષ્ટાંત છે. તેમાં નપુરપંડિતા અને શિયાળનું દષ્ટાંત છે તે તમે સાંભળ: રાજગૃહ નગરમાં દેવદત્ત નામને સ્વર્ણકાર (સેની) રહેતો હતે. તેને દેવદિત્ત નામે પુત્ર હતું. તે દેવદિનને દુગિલા નામની સ્ત્રી હતી. એકદા તે દુર્ગિલા કટાક્ષથી યુવાન પુરૂષના ચિત્તને સર્વ પ્રકારે ક્ષોભ પમાડતી નદીએ જલક્રીડા કરવા માટે ગઈ. અદ્દભૂત વસ્ત્રોથી શોભતી અને સર્વ પ્રકારના
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy