SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૬ ) શ્રીત્રષિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ અન્યદા ગંગા નદીના તીરે નેતરના વૃક્ષો ઉપર ફરતા એવા તે જેડલા માંહેલે વાનર, કૂદકો મારવા જતાં ભૂલી જવાથી પૃથ્વી ઉપર પડી ગયે. નીચે મહા પ્રભાવવાળું તીર્થ હતું તેથી તીર્થ પ્રભાવને લીધે વાનર પડતા વારમાંજ દેવતા સમાન રૂપ કાંતિવાળો પુરૂષ બની ગયે. વાનરને મનુષ્યનું રૂપ પામેલે જેઈ વાનરીએ પણ દેવાંગના સમાન રૂપ સંપત્તિ પામવાની ઈચ્છાથી તે જ વખતે ત્યાં ઝંપાપાત કર્યો, તેથી તે પણ દેવાંગના સમાન કાંતિવાળી સ્ત્રી થઈ, ને તુરત નવીન પ્રેમથી પોતાના પતિને ભેટી પડી. પછી રાત્રી અને ચંદ્રની પેઠે પરસ્પર સાથે રહેનારા તે દંપતી, પ્રથમની (વાનર અને વાનરીની ) પેઠે વિલાસ કરવા લાગ્યા. અન્યદા વાનર કે જે પુરૂષ થયે હતે તેણે વાનરી કે જે મનુષ્યરૂપે પિતાની પ્રિયા હતી તેને કહ્યું. “ આપણે જેવી રીતે મનુષ્ય જાતિ પામ્યા તેવી રીતે ચાલે પાછા ત્યાં જઈને દેવતાઓ થઈએ. ” સ્ત્રીએ કહ્યું. “ હે નાથ ! આ બહુ લાભ કરે રહેવા દ્યો. આપણે આ મનુષ્ય રૂ૫માંજ વિષયસુખ ભગવશું. વળી આપણે મનુષ્યપણુમાં દેવતાથી પણ અધિક સુખ છે. આપણે અહીં વિગ પામ્યા શિવાય નિર્વિધ્રપણે નિરંતર રહીએ છીએ. ” આ પ્રમાણે સ્ત્રીએ બહુ વાર્યો છતાં મનુષ્યરૂપ પામેલા વાનરે ત્યાં જઈ પૂર્વની પેઠે ઉંચા નેતરના વૃક્ષ ઉપર ચડી ઝુંપાપાત કર્યો. હવે તે તીર્થને પ્રભાવ એ હતું કે પૃપાપાત કરીને મનુષ્ય થએલે કોઈ પણ તીર્થંચ અથવા દેવતા થએલે કોઈપણ માણસ ફરીથી પૃપાપાત કરે તે તે પિતાના પૂર્વ સ્વરૂપને પામે. વાનરરૂપ માણસે દેવ થવાની ઈચ્છાથી ફરીથી ચંપાપાત કર્યો તેથી તે દેવપણું ન પમતાં ફરી વાનર થયે. પછી પુષ્ટ સ્તનવાળી, વિશાળ નેત્રવાળી, શંખ સમાન કંઠવાળી, સૂક્ષમ ઉદરવાળી, પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી, કમલપત્ર સમાન હાથ પગની અંગુલીઓવાળી, ગંગાની મૃત્તિકા વડે કરેલા તિલકવાલી, વેલથી બાંધેલા કેશવાલી, કેતકી પુષ્પની વેણીવાળી, તાલપત્રના કુંડલવાળી, કમલનાલના હારવાળી અને મૃગના સરખા નેત્રવાળી તે સ્ત્રીને વનમાં ફરતા એવા રાજપુરૂએ દીઠી. તુરત રાજપુરૂએ તે સ્ત્રીને લઈ જઈ રાજાને અર્પણ કરી. ભૂપતિએ પણ તે સરલ હદયવાળી સ્ત્રીને પોતાની પટ્ટરાણી બનાવી. પેલા વાનરને પણ વનમાં આવેલા મદારી લોકે પકડીને લઈ ગયા અને તેઓએ તેને પુત્રની પેઠે નાના પ્રકારનું નૃત્ય શીખવ્યું. પછી કઈ એક દિવસે તે મદારી લેકેએ રાજાની પાસે જઈ નટની સાથે વાંદરાને નચાવવા રૂપ નાટક કર્યું આ વખતે વાનરાએ રાજાની સાથે અર્ધા આસન ઉપર બેઠેલી તે પોતાની પ્રિયાને જોઈ પિતાના સાવિક અભિનયને પ્રગટ કરતાં છતાં અશ્રપાતયુક્ત રૂદન કર્યું. તે ઉપરથી રાણીએ તેને કહ્યું. “હે વાનર ! તું પોતાનું કરેલું કર્મ નિત્ય ભેગવ અને નેતર વૃક્ષ ઉપરથી કરેલા પિતાના ઝુંપાપાતને સંભાર નહીં,
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy