SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) પ્રીમિડલવૃત્તિ ઉત્તર તેજ જંબકુમાર અમારી ગતિ છે અને અમારું જીવિત પણ તેને જ સ્વાધિન છે. તે જંબૂકુમાર ચારિત્ર અથવા બીજું જે કાંઈ આચરશે તેજ અમારે પતિની ભક્તિ કરનારીઓને કરવું યોગ્ય છે.” છેવટ આઠે કન્યાના પિતાએ જ બુકુમારના પિતાને કહ્યું કે “તમે વિવાહને માટે ઝટ તૈયારી કરે.” પછી ઋષભદત્ત શ્રેષ્ઠીએ, તે આઠે શ્રેષ્ઠીઓની સાથે નૈમિત્તિકના મુખથી વિવાહને દિવસ ત્યારથી સાતમે દિવસ ઠરાવ્યું. પછી સગા ભાઈઓના સરખા એકાગ્રમનવાળા તે આઠે શ્રેણીઓએ શિધ્ર અદ્ભૂત એવો વિવાહ મંડપ રચા. કામદેવ સમાન આકૃતિવાળે જંબકુમાર ફક્ત માતા પિતાના સંતેષને માટે ઉત્તમ દિવસે અનેક મહા ઉત્સવથી આઠે કન્યાઓને પરણ્ય. અહા ! પ્રિયાઓની મધ્યમાં રહ્યા છતાં જંબકુમાર બ્રહ્મચારી રહ્યો. કારણ કે મહાશય પુરૂષ વિકારનાં કારણે નજીક હોવા છતાં પણ અવિકારી રહે છે. હવે આ ભરતક્ષેત્રને વિષે વિંધ્યાચળ પર્વત ઉપર જયપુર નામે નગર છે. ત્યાં વિધ્ય નામને રાજા રાજ્ય કરતા હતા. તે ભૂપતિને વિખ્યાત એવા બે પુત્રો હતા. તેમાં હેટાનું નામ પ્રભવ અને ન્હાનાનું નામ પ્રભુ હતું. એકદા વંધ્ય રાજાએ કાંઈ કારણથી હેટે પુત્ર પ્રભવ વિદ્યમાન છતાં ન્હાના પ્રભુને રાજ્ય સેપ્યું. પછી પ્રભવ અભિમાનને લીધે નગરથી ચાલી નીકળી વિધ્યાચળની વિષમ ભૂમિને વિષે નિવાસસ્થાન કરીને રહ્યો. ત્યાં પિતાના પરિવારસહિત રહેલે તે ચરવૃત્તિથી આજીવિકા કરતે. તેમજ પારકા ઘરમાં ખાતર પાડવું, બંદીઓને પકડવા, રસ્તે જનારાઓને લુંટવા ઈત્યાદિ કાર્યો કરતે. કે એક દિવસે તેના ચર લેકેએ આવીને તેને કહ્યું કે, જંબૂકુમારની સમૃદ્ધિ કુબેરના સમાન છે.” ચરકનાં આવાં વચન સાંભળી પરદ્રવ્યથી આજીવિકા કરનાર તથા બહુ ઉત્પન્ન થએલા લોભવાળે પ્રભવ, પાંચસે ચરો સહિત નગર તરફ ચાલ્યો અને અવસ્વાપનિકા તથા તાલેદઘાટિની વિદ્યાઓ યુક્ત એ તે પ્રભવ પોતાની વિદ્યાના બલથી હર્ષ પૂર્વક જંબૂ કુમારના ઘરે ગયે. ત્યાં તેણે અવસ્થાપિની વિદ્યાથી એક જંબૂ કુમાર વિના બીજા સર્વે ને નિદ્રાવશ્ય કરી દીધા. અવસ્થાપિની વિદ્યા પુણ્યશાલી એવા જંબૂ કુમારને પોતાના સ્વાધિન કરવાને શક્તિવંત થઈ નહીં. કારણ હ પ્રાયે પુણ્યવંત પુરૂષને ઇંદ્ર પણ આપત્તિમાં નાખવા સમર્થ થતો નથી. પછી નિદ્રાવશ થએલા સર્વ માણસના અલંકારાદિ સર્વ ચોર લોકેએ લુંટી લેવા માંડયું. ચેરે લુંટવા લાગ્યા એટલે ધારિણીને પુત્ર જંબૂકુમાર ક્રોધ અને ક્ષોભ પામ્યા વિના ચોરેને આ પ્રમાણે કહેવા લાગ્યું. “હે રે ! આમંત્રણ કરેલા અને વિશ્વાસને લીધે ઉંઘી ગએલા આ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy