SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને મીસિહુ' નામના જીનિપુ‘ગવાની કથા ( ૨૬૩ ) તેથી મહાભાગ્યના સમુદ્ર રૂપ તે મહાપદ્મનું ગુણથી ઉત્પન્ન યએલું બીજું નામ દેવસેન એમ પ્રજા કહેશે. જેમ ચક્રવર્તિને ચક્ર ઉત્પન્ન થાય તેમ શાર્યવંત એવા તે રાજાને ઇંદ્રના હસ્તિ અરાવણના સરખા ચાર દાંતવાળા શ્વેતહસ્તિ પ્રાપ્ત થશે. તે હસ્તિ ઉપર બેઠેલા તે રાજાની સમૃદ્ધિથી હર્ષ પામેલા માણસે તેનું વિમલવાહન રાજા એવું નામ કહેશે. એકદા તે રાજાને પૂર્વભવના અભ્યાસથી જૈનરાજષિ એના દ્વેષ કસ્ત્રાથી સાધુઓને વિષે અતિ દુ:ખ આપનારા દુષ્ટ પરિણામ ઉત્પન્ન થશે. તેથી તે ઉડ્ડાહ, મારણ, અંધ, તાડન અને નિંદા ઇત્યાદિથી દેખેલા અથવા સાંભવેલા સાધુઓને ખેલાવી ખેલાવીને નૃત્ય કરાવશે. પછી નગરવાસી લે અને પ્રધાનાદિ તેને વિનતિ કરશે કે “ રાજાએ સાધુનુ પાલન કરવું અને દુષ્ટને દંડ આપવા જોઇએ. હે સ્વામિન્! આ ભિક્ષાવૃત્તિ કરનારા અપરાધ વિનાના અને તપ રૂપ દ્રવ્યવાલા મુનિઓની રક્ષા ન કરતાં તેને શામાટે હણેા છે ? તમે તેઓને તાડના કરા છે પણ તેથી જો કેઇ મહામુનિ ક્રોધ કરશે તેા તે પોતાના તેજથી દેશ અને રાજ્યસહિત તમને ભસ્મરૂપ કરી દેશે. ” પ્રધાનાદિ લેાકેા આ પ્રમાણે બહુ કહેશે એટલે રાજા તે ચિત્તવિના અંગીકાર કરશે. એકદા તે મહાપદ્મ રાજા રથમાં બેસી ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં જશે. ત્યાં જેમને તેજલેશ્યા ઉત્પન્ન થઇ છે એવા તેમજ આતાપના કરતા અને કાયાત્સ માં રહેલા સુમગળ નામના મુનિને જોશે. કારણ વિના સાધુને જોવાથી ક્રોધ પામેલેા તૈ પાપ બુદ્ધિવાળા રાજા તેમની પાસે જઇ રથના અગ્રભાગથી તે મહામુનિને પાડી દેશે, મુનિરાજ ફ્રી ઉડીને કાયાત્સર્ગ કરશે. રાજા તેમને ફ્રી પાડી નાખશે. સુમ'ગળ સુનિ ફ્રી ઉડીને કયેાત્સર્ગ કરશે. પછી તે સુમ'ગલ મુનિરાજ અવધિજ્ઞાનથી તે મહાપદ્મના આગલા ભવાને જાણી તેને આ પ્રમાણે કહેશે કે: “ અરે તું દેવસેન નથી તેમ વિમલવાહન નથી પણ મ`ખલીના પુત્ર દુષ્ટ ચિત્તવાàા ગાશાલે છું. અરે, દુષ્ટ એવા તે ગેાશાલાના ભવને વિષે ધર્માચાર્ય એવા શ્રી વીરજિનેશ્વરને અશાતા પમાડચા છે એટલું જ નહીં પણ તેમના એ શિષ્યાને ખાલી ભસ્મરૂપ બનાવ્યા છે, તે વખતે તેઓએ જેવી ક્ષમા રાખી છે તેવી હુ રાખીશ નહીં અને ચેાગથી પ્રાપ્ત થએલી તેજોલેશ્યાવડે હું તને ભસ્મરૂપ કરી નાખીશ. ” જેમ ઘી નાખવાથી અગ્નિ વધારે વાજણ્યમાન થાય એમ તે સુમંગલ મુનિના કહેવાથી અત્યંત ક્રોધાતુર થએલા મહાપદ્મ રાજા તે સુમંગલ મુતિને શ્રી પાડી દેશે. પછી ઉત્પન્ન થએલા ક્રોધવાલા તે સુમંગલ મુનિરાજ પાતાની તેજોલેશ્યાથી મહાપદ્મને બાળી નાખશે. ત્યાર પછી તે મુનિરાજ તે પાપની આલેાચના લઈ દીર્ઘકાલ પર્યંત ચારિત્ર પાલી અને એકમાસનું અનશન લઇ સર્વાર્થસિદ્ધ લેાકપ્રત્યે જશે. ત્યાં તેત્રીશ સાગરે પમનુ આયુષ્ય ભાગવી અને પછી ચ્યવી વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાં દીક્ષા લઇ મેક્ષ પામશે. મહાપદ્મ રાજા પણ સાતમી નરકે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy