SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને મીસિંહ નામના મુનિ પુગવિની કથા. (૨૧) તે ચેષ્ટાને છાની રાખવા માટે ફરી પુલને કહ્યું. “જે આ આપણું ગુરૂ હાથ જોડી ગાયન કરે છે, વળી હાથમાં પાત્ર ધરી હસતા છતાં નૃત્ય કરે છે તે પોતાની મુક્તિ પ્રાપ્તિનાં ચિન્હ છે અને તેથી જ તે જેમ તેમ બોલે છે જે આ છેવટનું ગાયન, હાથ જેડી નૃત્યનું કર્મ, વિલે પાદિ તથા મદ્યપાન વળી એ વિના જે કાંઈ બીજું છે તે સર્વ મેક્ષ પ્રાપ્તિનાં ચિન્હ છે માટે તું એ શાળા રૂપ વીશમા જિનેશ્વરની પાસે જઈ પિતાને સંશય પૂછ કારણ તે હારા સર્વજ્ઞ એવા ગુરૂ છે.” આ પ્રમાણે સાધુઓએ કહ્યું, એટલે પુલ જેટલામાં પિતાના સંશયે પૂછવા માટે ગોશાળા પાસે જવાની તૈયારી કરી તેટલામાં તે સાધુઓએ આગલથી ગોશાળા પાસે જઈ પુલના આગમન અને સંશયની વાત ગુપ્ત રીતે કહી દીધી પછી ગોશાળે મદ્ય પાત્ર સંતાડી દેવરાવવા પૂર્વક આસન ઉપર બેઠો એટલામાં પુલ ત્યાં આવ્યો. પુલ આસન ઉપર બેઠો એટલે તુરત ગોશાળાએ તેને કહ્યું કે “હે પુલ ! તૃણોપાલિકા કેવા આકારની છે. એ હારે સંશય છે સાંભલ, વંશીના મૂલ સમાન આકારવાલી તૃણગપાલિકા છે. એમ ત્યારે જાણવું.” શાળાનાં આવાં વચન સાંભલી હર્ષ પામેલે પુલ પિતાના આશ્રમ પ્રત્યે ગયે. પછી જ્યારે ગોશાળે સ્વસ્થપણું પામ્યો ત્યારે પિતાનો અંતકાલ સમીપે આ જાણી તેણે પોતાના શિષ્યોને બોલાવી આદરથી આ પ્રમાણે કહ્યું “હ મૃત્યુ પામું ત્યારે હારા શરીરને સુગંધી જલથી હુવરાવી તેમજ સુગંધી ચંદનથી લેપ કરી ઉત્તમ વસવડે આચ્છાદિત કરવું. વલી દિવ્ય આભૂષણથી સુશોભિત બનાવી અને પછી હજારો માણસોએ ઉપાડેલી શિબિકામાં બેસારી તે મારા શરીરને મોટા ઉત્સવથી બહાર કાઢવું. આ વખતે તમારે સર્વ નગરમાં એવી ઉષણ કરવી કે આ અવસર્પિણને વિષે એવી શમા જિનેશ્વર ગશાળે મોક્ષનગરે ગયા.” ગોશાળાના કહેવા પ્રમાણે તેના શિષ્યોએ અંગીકાર કર્યું પછી ગોશાળાને સાતમે દિવસે શુદ્ધ સ્વભાવ ઉત્પન્ન થયે, તેથી તે પસ્તા કરતે છતે વિચાર કરવા લાગ્યું કે “અહ? પાપી અને દુર્મતિ એવા મેં પોતાના ધર્મગુરૂ શ્રી વીરજિનેશ્વરને ત્રણ પ્રકારે અત્યંત અશાતા કરી છે. તેમજ હું પોતે સર્વજ્ઞ છું એમ સર્વે માણસોની આગલ કહી મેં સત્યના આભાસવાળા ખોટા ઉપદેશથી લેકેને છેતર્યા છે. વલી ધિક્કાર છે મને કે જે મેં ગુરૂને ગ્રહણ કરવા એગ્ય બે મોટા મુનિને તે લેશ્યાથી દગ્ધ કર્યા અરે એટલું જ નહીં પણ મેં પિતાને દધ કરનારી તેજલેશ્યા પણું પ્રભુ ઉપર મૂકી અહો ! મેં થોડા દિવસને માટે આવું નરકાદિ મહાદુઃખના કુવામાં પડવાના કારણરૂપ અકૃત્ય શા માટે કર્યું? અરે મેં નરકની ખાઈમાં કેવલ પિતાના આત્માને જ પાડો એમ નથી પણ અસત્ માર્ગના ઉપદેશથી આ સર્વે લેકેને નરકાદિ ખાઈમાં નાખ્યા છે તે પણ તે લેકે કુમાર્ગ પ્રત્યે ન જાઓ”
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy