SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) શ્રી વષિમંડલવૃત્તિ-ઉત્તશ. લેકેએ સૂપને કર્મચાસની શિલા સહિત બેદી કાઢયે; જેથી કૃણિકે બાર વર્ષને અંતે વિશાલા નગરીને તેડી પાડી. કારણ કે પૂર્વને સ્તૂપ સંબધી મહિમા દુરતિક્રમ હોય છે. પછી ચેડા રાજાનું અને કુણિકનું યુદ્ધ બંધ થયું. આવું ભયંકર યુદ્ધ આ અવસર્પિણમાં પૂર્વ કયારે પણ થયું નહતું. યુદ્ધ બંધ થયા પછી ચંપાનગરીના રાજા કૃણિકે ચેડા મહારાજાને દુત મોકલી કહેવરાવ્યું કે “ આપ હાર માતામહ થાઓ છે જેથી આપ મહારે પૂજ્ય છે તે હું આપનું શું ઈષ્ટકાર્ય કરું?” ચેડા રાજાએ કહ્યું, કે જય ઉત્સવમાં ઉત્સુક એવા તારે નગરીમાં વિલંબથી પ્રવેશ કરે. ચેડા રાજાનું કહેલું દૂતે કણિકને કહ્યું. તેથી તેણે વિચાર્યું કે “તેમણે લજજાકારી આ શું માગ્યું? તે પણ તેણે તે વાત અંગીકાર કરી. હવે ચેડા રાજાની પુત્રી સુષ્ટાને પુત્ર કે જે બલવંત સત્યકીનામે વિદ્યાધર હતે તેને આ ભયંકર યુદ્ધની ખબર પડી તેથી તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે “બલવંત શત્રુએ પીડા પમાડેલી મહારા માતામહની પ્રજાને હું શી રીતે જેઉં ? માટે હું તે પ્રજાને કોઈ બીજા સ્થાનકે લઈ જાઉં. ” આમ ધારી તેણે પિતાની વિદ્યાથી સર્વ નગરવાસી માણસને પુષ્પની પેઠે નીલવંત પર્વત ઉપર લઈ જઈ લાલન પાલન ક્યા. ચેડા રાજાએ પણ લોઢાની પુતલી પોતાના કંઠે બાંધી અનશન લઈ મૃત્યુ માટે કૂવામાં ઝંપાપાત દીધે. મૃત્યુના મુખમાં આવેલા ચેડા રાજાને કુવામાં પડતા જોઈ નાગરાજ તેમને પોતાના સાધમિક જાણી તુરત પોતાના મહેલમાં તેડી લાવ્યું. ત્યાં નાગરાજે પ્રસંસા કરેલા શાંત આત્માવાલા અને શુભ મન વાલા તેમજ મૃત્યુથી ભય નહિ પામતા એવા ચેડા રાજા વિધિથી આરાધના કર. વામાં ઉદ્યમવંત થઈને રહેવા લાગ્યા. નમસ્કારનું સ્મરણ કરતા તેમજ બે પ્રકારના પરિગ્રહથી મુક્ત થએલા તે ચેડા રાજા કેટલેક દિવસે મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. કણિકરાજાએ ગઘેડા જોડેલા હળ વડે ખેતરની પેઠે વિશાળ નગરીને ખેડી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, આવી દુતર પ્રતિજ્ઞાને નદીની પેઠે પાર પામી કણિક રાજા મોટા મહોત્સવથી પિતાની ચંપાનગરી પ્રત્યે આ. એકદા ત્રણ વિશ્વના ગુરૂ અને દેવતાઓથી વિંટલાયલા શ્રીવીરપ્રભુ વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા કરતા ચંપાપુરીને વિષે સમવસર્યા. આ વખતે પુલના મૃત્યુને લીધે સંસારથી વિરાગ્ય પામેલી કાલાદિની માતાઓ કે જે શ્રેણિક રાજાની પ્રિયા થતી હતી, તેણીઓએ શ્રી મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. વિશ્વના સંશયને છેદન કર. નારા શ્રી વિરપ્રભુને વંદના કરવા માટે કૃણિક રાજા સમવસરણમાં આવ્યો ત્યાં તેણે અરિહંતને નમસ્કાર કરી ગ્રસ્થાને બેસી અવસરે પોતાના મસ્તક ઉપર હાથ જેડી શ્રી વિરપ્રભુને પૂછ્યું કે “હે નાથ ! જે ચક્રવતિઓ સંપૂર્ણ એવી કામગની સમૃદ્ધિને નથી ત્યજતા તેમજ જેઓ પોતાના સ્થાનને નથી ત્યજી દેતા, તેઓ મૃત્યુ ૧ માનો બાપ તે માતામહ કહેવાય છે.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy