SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહલ અને શ્રીવિહલ્લ નામના મુનિવરેની કથા, (૨૫) માધિકા મુનિના શરીરને છેવા વિગેરેનું કામ એવી રીતે કરતી કે જેથી મુનિના સર્વ અંગને સ્પર્શ થત. એક તે મધુર વચન તેની સાથે અંગને સ્પર્શ અને વળી તેમાં કટાક્ષ વિગેરેનું ફેંકવું ઈત્યાદિ કારણથી તે કુળવાલક મુનિનું ચિત્ત ચપળ બન્યું. કારણ કે સ્ત્રીને પ્રસંગ સારે હાયજ કયાંથી? કુળવાલક મુનિ અને માગધિકા વેશ્યા એ બન્ને જણા દિવસે દિવસે શય્યા આસન વિગેરેથી સ્પષ્ટ સ્ત્રી પુરૂષના ગને પામ્યા. પછી માગધિકા કુળવાલકને વેગથી ચંપા નગરી પ્રત્યે તેડી લાવી. કહ્યું છે કે કામથી આંધળો થએલો પુરૂષ ચાકરની પેઠે સ્ત્રીઓની શી શી સેવા નથી કરતો? માગધિકાએ કુણિક રાજા પાસે આવીને કહ્યું “હે દેવ! આ કુલવાલકને હું હારે પિતાને પતિ બનાવી અહિં લાવી છું. માટે તે આપનું શું કામ કરે, જે કાર્ય હોય તેની આપ એને આજ્ઞા આપો.” પછી કુણિકે આદરથી કુળવાલકને કહ્યું. હે મુનિ ! જેવી રીતે વિશાળા નગરીને તોડી પડાય તેવી રીતે તમે કરે.” રાજાની આવી આજ્ઞાને અંગીકાર કરી બુદ્ધિમાન એવા તે કુળવાલક સાધુએ મુનિરાજના વેષથી કોઈએ રોક્યા વિના તુરત વિશાળા નગરીમાં પ્રવેશ કર્યો. જો કે મહા બલવંત એવા કુણિક રાજાએ પ્રથમથી વિશાળ નગરીને ઘેરો ઘા હતો તે પણ આ વખતે સર્વ સૈન્યથી જય શબ્દ ઉચ્ચારતા વધારે ઘેરે ઘા. હવે કુળવાલક મુનિએ વિશાળા નગરીની અંદર અપૂર્વ વસ્તુને જોતા જોતા એક શ્રી મુનિસુવ્રત સ્વામીને સ્તુપ દીઠો. સ્તૂપને જોઈ કુળવાલક વિચાર કરવા લાગ્યું કે “નિચે આ સ્તૂપની પ્રતિષ્ઠાને અવસરજ બલવંત છે કે જેના મહિમાથી આ નગરી તેડી શકાતી નથી. જે કઈ પણ ઉપાયથી આ સૂ૫ ખેડાવી નખાય તેજ આ નગરીને ભંગ થઈ શકે તેમ છે નહિ તે ઇંદ્રથી પણ આ નગરી તેડી શકાય તેમ નથી.” આ પ્રમાણે વિચાર કરતા કરતા કુળવાલક મુનિ નગરીમાં ફરતા હતા એવામાં પુરીના રોગથી પીડા પામેલા લોકો તેમને પૂછવા લાગ્યા કે “હે સાધ! આ નગરીને ઘેરો ઘાલેલો હોવાથી અમે બહુ પીડા પામીએ છીએ, જે તમે કાંઈ તત્ત્વ જાણતા હે તે કહો કે આ નગરીનો ઘેરે ક્યારે નાશ પામશે?” કુળવાળકે કહ્યું. “હે લકે! હું જાણું છું કે જ્યાં સુધી આ સ્તુપ છે ત્યાં સુધી ઘેરે મટવાનો નથી. આ સ્તૂપ તેડવા માંડે છતે તમને તુરત વિશ્વાશ આવશે કે સમુદ્રની વેલાનું પેઠે શત્રુનું સૈન્ય ઓચિંતુ પાછું ખસશે. હે જનો! ચારે તરફથી આ સૂપને છેદી નાખે છતે તમારું સારું થશે કારણ કે આ સ્તૂપનું દુષ્ટ લગ્નમાં સ્થાપન થએલું છે.” આ પ્રમાણે ધરૂં એવા કુળવાલકે છેતરેલા નગરવાસી જને તૃપને છેદી નાખવા લાગ્યા. કહ્યું છે કે દુઃખ પામેલા માણસે સહે. લાઈથી છેતરી શકાય છે. જ્યારે લોકે સ્તૂપને ખોદવા લાગ્યા, ત્યારે કૂલવાલક સાધુએ તુરત નગર બહાર જઈ કણિકને સંકેતથી બે ગાઉ દૂર ખસેડયે. પછી વિશ્વાસ પામેલા જડ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy