SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહલ અને શ્રીવિહલ નામના યુનિવશેની કથા. (૨ ) વીર એવા કુણિકે પદ્મખંડની પેઠે શત્રુના સૈન્યને તાડનાથી નસાડી મૂકયું. પછી કુણિકને દુર્જય જાણું અત્યંત ક્રોધ પામેલા અને મહાબલવંત એવા ચેડા રાજાએ ધનુષ્ય ઉપર દિવ્ય બાણ ચડાવ્યું. આ વખતે કણિકના અગ્રભાગમાં છેલ્લે તુરત વજમય કવચ ધારણ કર્યું અને પાછલ ચમકે લેહકવચ ધારણ કર્યું. વિશાલા નગરીના પતિ ચેડા રાજાએ કાન સુધી ધનુષ્ય ખેંચીને કુણિક ઉપર બાણ છોડયું. પણ તે બાણ વામય કવચથી સ્કૂલના પામ્યું. ચેડા રાજાના અમેઘ બાણને સ્કૂલના પામેલું જોઈ તેના યોદ્ધાઓ પોતાના પતિના પુણ્યને ક્ષય માનવા લાગ્યા. સત્ય પ્રતિજ્ઞાવાલા ચેડારાજાએ તે દિવસે બીજું બાણ મૂકયું નહીં. બીજે દિવસે તેવીજ રીતે કુણિક યુદ્ધ કરવા લાગે એટલે તે દિવસે પણ ચેડારાજાએ તે અમોઘ બાણ ફેંકર્યું તે પણ પૂર્વની પેઠે નિષ્ફલ થયું. આ પ્રમાણે તે બન્ને રાજાઓનું દિવસે દિવસે ઘોર યુદ્ધ થવા લાગ્યું. અને સૈન્યમાં થઈ યુદ્ધમાં મૃત્યુ પામેલા એક કોડ અને એંસી લાખ યોદ્ધાઓ તિર્યંચ અને નરકને વિષે ઉત્પન્ન થયા. ચેડા રાજાના સુભટો નાસી નાસીને પિત પિતાના ગામમાં જતા રહ્યા તેથી થોડું સૈન્ય રહેવાને લીધે ચેડા રાજા પણ નાસી પુરમાં જતા રહ્યા. પછી કુણિકે તે નગરીને શેર અ. હલ વિહલ બને ભાઈએ સેચનક હસ્તિ ઉપર બેસી રાત્રીએ ગુપ્ત રીતે કણિકના સૈન્યને બહુ મારી નાખતા, પણ કુણિકના સૈન્યમાં એ કઈ વીરપુરૂષ નહેાતે કે જે યમરાજની પેઠે તે સેચનકને પકડવા સમર્થ થાય. હલ વિહલ તે હમેશાં રાત્રીને વિષે કણિકની સેનાને મારી ક્ષેમકુશલ નગરીમાં જતા રહેતા. આ વાતની કુણિકને માલમ પડી તેથી તેણે પોતાના મંત્રીમંડલને કહ્યું. હલ્લ વિહલે આપણું સર્વ સૈન્યને બહુ પીડા પમાડયું છે માટે તે સુભટને આપણાથી નાશ થાય તે ઉપાય કહે “મંત્રીઓએ કહ્યું. “જ્યાં સુધી મનુબની મધ્યે ગજરૂપ એવા તે બન્ને ભાઈઓ, સેચનક હસ્તિ ઉપર બેઠા છે, ત્યાં સુધી તે કેઈથી જીતી શકાય તેમ નથી. માટે તે હસ્તિને જ મારી નાખવાને કાંઈ ઉપાય માર્ગમાં કરે અને તે એ કે માર્ગને વિષે ખેરના અંગારાથી ભરપૂર છેવી એક ખાઈ કરી તેને ઉપરથી ઢાંકી દેવી. પછી વેગથી દેખતે એ સેચનક તેમાં પડશે.” કુણિક રાજાએ હસ્તિને આવવાના માર્ગમાં ખેરના અંગારાથી ભરપૂર એવી એક ખાઈ કરાવી અને તેને ઉપરથી ઢાંકી દીધી. પછી સુભટ એવા હલ વિહલ અને ભાઈઓ રાત્રીએ રણભૂમિમાં જવા માટે સેચનક હસ્તી ઉપર બેઠા. સેચનક હસ્તિ પણ ખાઈની નજીક આવી મનની પેઠે વિલંગ જ્ઞાનથી ખાઈ જાણી આગળ ચાલતે અટકી પડશે. આ વખતે હલ વિહલે તિરસ્કાર કરીને હસ્તિને કહ્યું કે – “અરે તું પશુપણુએ કરીને કૃતન થયે જે આ રણભૂમિમાં દીન બની
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy