SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅભયકુમાર કથાન્તર્ગત શ્રીઉદાયન રાજર્ષિની કથા, (૨૩૧) હમણું તમે મને સંસારને નાશ કરવા માટે દીક્ષા લેવાની આજ્ઞા આપો. આપે મને મસ્તકરહિત દીઠી હતી અને હમણાં મેં વસ્ત્રના વર્ણને ફેરફાર દીઠે આ બન્ને દુર્નિમિત્ત આ અવસરે હારા અલ્પ આયુષ્યનાં દુષ્ટ ચિન્હો છે. તો હે નાથ ! આપ મને દીક્ષા લેવામાં વૃથા વિન્ન નહિ કરે.” આવો રાણીને પ્રતિબંધ જાણી મહા રાજા ઉદાયને કહ્યું. “હે કૃશદરી? જેમ તને રૂચે તેમ તું ઝટ કર પરંતુ હે દેવી! તું જ્યારે દેવપણું પામે, ત્યારે ત્યારે અહીં આવીને મને પ્રતિબોધ પમાડે. વળી હે પ્રિયે! મને પ્રતિબંધ પમાડવા માટે અહીં આવતાં તને જે હારા સ્વર્ગસુખમાં વિન્ન થાય તે સહન કરવું.” પછી રાણી પ્રભાવતી દીક્ષા લઈ અનશન કરી સ્વર્ગમાં મહા સમૃદ્ધિવંત અને સુખી એવા દેવપણે ઉપની. અહીં તેના અંત:પુરમાં રહેલી જિનપ્રતિમાને તેની કુન્જા એવી દેવદત્તા નામની દાસી પૂર્વની પેઠે પૂજવા લાગી. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતાએ આવીને ઉદાયનને પ્રતિબંધ કરવા માંડ્યો પણ તે પ્રતિબોધ પામ્યું નહીં પછી દેવતાએ બીજે ઉપાય કર્યો. તે દેવતા તાપસનું રૂપ લઈ હાથમાં દિવ્ય ફલનું પાત્ર ભરી ઉદાયન રાજા પાસે આવ્યા. એક તો સુવર્ણ અને તેમાં વલી સુગંધ એમ હાથમાં ભેટ આપવા માટે કુલના પાત્રને ધારણ કરનારા તાપસે ફલનું પાત્ર ઉદાયનની આગલ ભેટ મૂકયું. ભક્ત એવા ઉદાયન રાજાએ પણ બહુ ભક્તિથી તે તાપસને આદર સત્કાર કર્યો. અમૃતરસ સરખા સ્વાદવાળાં તે ફલેનું આદરથી ભક્ષણ કરી ઉદાયન ભૂમિપતિ મનમાં બહુ ચમત્કાર પામે, તેથી તેણે પૂછયું કે “હે મુને ! તમે આવાં ફલ ક્યાંથી લાવ્યા? મને તે સ્થાન દેખાડે. “ તાપસે કહ્યું. “આ નગરની સમીપમાં એક રમણીય ઉદ્યાન છે તેમાં આવાં નેત્રને વિશ્રાંતિ આપનારાં ફલેને સમૂહ થાય છે.” ઉદાયન ભૂપતિએ “ એ ઉદ્યાન મને બતાવે.” એમ કહ્યું એટલે તાપસ, જાણે તેને વિદ્યા આપવા માટે લઈ જતો હોયની? એમ ભૂપતિને એક જોઈ દૂર લઈ ગયે. ત્યાં તાપસે પોતાની શક્તિથી તેવાજ ઉત્તમ ફલેથી ભરપુર અને નાના પ્રકારના તાપસોના આશ્રમવાલો એક મનહર બગીચો બનાવી દીધે. પછી ભૂપતિ “ હું તેમને ભક્ત છું માટે આ તાપસવન હારી ફલની ઈચ્છા પૂર્ણ કરશે.” એમ ધારી ઉદ્યાન તરફ દેડ. આ વખતે સામા દેડતા આવતા તે માયામય તાપસેએ “ આ ચોર છે” એમ ધારી રાજાને બહુ માર્યો. તેથી ઉદાયન ભૂપતિ બહુ ભય પામી નાસવા લાગ્યો તે સામી બાજુએ પણ “ભય ન પામ.” એમ કહેતા એવા સાધુઓને દીઠા. પછી ભૂપતિ તેમના શરણે થયો. માયામય સાધુએએ આશ્વાસન પમાડેલો ભૂપતિ સ્વસ્થ થઈ વિચાર કરવા લાગ્યો “હા ! જન્મથી આરંભીને દુર કર્મ કરનારા તાપસેએ મને છેતરે છે. સાધુઓએ કહ્યું. “ધર્મ એજ માણસને શરણ છે. અને ધર્મના અર્થે એવા ઉત્તમ બુદ્ધિવાલા માણસે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણની ઉત્તમ પ્રકારે પરીક્ષા કરવી. જે રાગાદિથી મુક્ત હોય તે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy