SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૦) શ્રી પ્રષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ, પ્રતિમાને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી. “હે ત્રણ જથના નાથ, હે અક્ષય સુખ આપનારા, હે કેવલજ્ઞાનથી લોકાલેકને પ્રકાશ કરનારા અહેન ! તમે જયવંતા વર્તો.” પછી પ્રભાવતી હર્ષથી પિલા નાવિકને દ્રવ્યથી સત્કાર કરી મહેટા ઉત્સવથી પ્રતિમાને પિતાના અંત:પુરમાં લઈ ગઈ. ત્યાં તેણીએ એક જિનમંદિર બનાવી તેમાં મૂર્તિ પધરાવી. પછી પ્રભાવતી હંમેશાં સ્નાન કરી પૂજન કરતી. એકદા પ્રભાવતી રાણી હર્ષપૂર્વક કમલે વડે જિનેશ્વરની પ્રતિમાનું પૂજન કરી બીજી સ્ત્રીઓ સહિત અભૂત ગાયન કરવા લાગી. આ વખતે ચતુર એવો ઉદાયન રાજા ગુણોથી મેહ કરનારી, સ્પષ્ટ સ્વરવાલી અને છ ભાગથી બનાવેલી વીણાને વગાડવા લાગ્યા. જેથી પ્રભાવતી રાણી વૃદ્ધિ પામેલા ભાવથી જિનેશ્વરની પ્રતિમા આગલ અંગહારાદિથી બહુ નૃત્ય કરવા લાગી. આ અવસરે ભૂપતિએ પ્રભાવતીનું મસ્તક નહિ દેખતાં ફક્ત તેણીનું શરીર નૃત્ય કરતું દીઠું. આવું અરિષ્ટ જેવાથી રાજા બહુ ક્ષેાભ પામી ગયે જેથી જેમ નિદ્રાવાલા માણસના હાથમાં કાંઈ વસ્તુ પડી જાય તેમ તેના હાથમાંથી કાંબી પડી ગઈ. આમ એચિંતે નૃત્યને ભંગ થયે તેથી ક્રોધ પામેલી રાણએ ઉદાયનને કહ્યું. “અરે તમે કેમ વગાડવું બંધ કરી મને તાલભ્રષ્ટ કરી?” રાણીએ વારંવાર ભૂપતિને હાથમાંથી કાંબી પડી ગયાનું કારણ પૂછ્યું એટલે ભૂપતિએ યથાર્થ વાત કહી. કહ્યું છે કે સ્ત્રીને કદાગ્રહ બળવંત હોય છે. પ્રભાવતીએ કહ્યું. “આ દુનિમિત્તથી હું અપાયુષી છું ખરી તે પણ જ્યાં સુધી હું ધર્મકાર્ય કરું છું ત્યાં સુધી મને મૃત્યુને ભય શું છે? ઉલટું આ દુનિ. મિત્તનું દર્શન મને આનંદ કરનારું છે અને તે નિચે હમણાં મને દીક્ષા લેવાને અવસર સૂચવે છે.” આ પ્રમાણે કહી રાણી પ્રભાવતી મૃત્યુથી જરા પણ ભય ન પામતી છતી અંત:પુરમાં ગઈ પણ અરિહંતના મતને નહિ જાણનારો ઉદાયન રાજા તે બહુ ઉદ્વેગ પામવા લાગ્યો. એકદા પ્રભાવતી રાણીએ, સ્નાન કરી પવિત્ર થઈ પ્રભુને પૂજન કરવાને યોગ્ય પવિત્ર વસ્ત્ર દાસી પાસે મંગાવ્યાં. ભવિષ્યમાં વિધ્ર થવાને લીધે દાસીએ આપેલા વસ્ત્રને તેણીએ રક્તવર્ણનાં દીઠા તેથી રાણીએ “આ અવસરે આ વો અયોગ્ય છે.” એમ કહી બહુ ક્રોધ પામીને દાસીને દર્પણ ફેંકીને મારી. દાસી દર્પણના પ્રહારથી તુરત મૃત્યુ પામી કારણકે કાલની ગતિ વિષમ હોય છે. પછી રાણી પ્રભાવતીએ તેજ વસ્ત્રોને તુરત વેતવર્ણનાં જે વિચારવા લાગી કે “અરે ધિક્કાર છે મને, જે મેં વ્રત ખંડન કર્યું. પંચંદ્રિય જીવને વધ પણ નિચે નરકગતિ આપનારે છે તો પછી સ્ત્રીવલનું તે શું કહેવું. માટે હવે હારે વ્રત લેવું એજ ઉત્તમ છે. પછી દાસીની હત્યાથી વિશેષ વૈરાગ્ય પામેલી પ્રભાવતી રાણીએ ભૂપતિને કહ્યું કે “હે નાથ ! નિચે હું અલ્પ આયુષ્યવાલી છું, કેમકે મેં અનર્થ કર્યો. માટે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy