SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમુબાહુકમાર નામના મહર્ષિની કથા (૨૦૩) पिअदंसणो मुणीणवि, जो मुणिदाणप्यभावओ जाओ ॥ वीरसुसीसो पत्तो, मासं संलिहिअ सोहम्मे ॥ १३०॥ आरणए सव्वडे, तत्तो सिज्झिस्सइ विदेहेसु ॥ तमहं सुबाहुसाहुं, नमामि इकारसंगधरं ॥ १३१॥ જે મુનિઓને સુપાત્ર દાનના પ્રભાવથી પ્રિયદર્શન થઈ પડ્યા, જે મહાવીરના ઉત્તમ શિષ્ય થઈ એક માસની સંલેખના કરી સધર્મ દેવલોક પ્રત્યે ગયા, ત્યાંથી આવી આ લોકમાં મનુષ્ય થઈ આરણ દેવલોક પ્રત્યે જશે, ત્યાંથી ફરી આવી મનુષ્ય થઈ સર્વાર્થ સિદ્ધ વિમાને જશે, ત્યાંથી ચવી ફરી મનુષ્ય થઈ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. તે અગીયાર અંગના ધારક સુબાહ મુનિને હું નમસ્કાર કરું છું. ૧૩૦–૧૩૧ 'श्रीसुबाहुकुमार' नामना महर्षिनी कथा * આ ભરત ક્ષેત્રમાં હસ્તિશીષ નામે ઉત્તમ નગર છે. તે નગરના ઈશાન કોણમાં પુષ્પકરંડક નામે શ્રેષ્ઠ વન છે. તે વનમાં પ્રભાવવાલા કૃતમાલક નામના યક્ષનું મંદીર છે. યક્ષ ઈષ્ટ ફળ આપનાર હોવાથી બહુ માણસો તેની સેવા કરતા. હસ્તિ શીર્ષ નગરમાં પવિત્ર બુદ્ધિવાળો અદીનશત્રુ રાજા, જેમ પિતા પુત્રનું રક્ષણ કરે તેમ પ્રજાનું રક્ષણ કરતે હતો. તે ભૂપતિને ઉત્તમ રૂપ સંપત્તિવાળી એક હજાર રાણીઓ હતી. તેમાં પણ રૂપસંપત્તિએ કરીને શ્રેષ્ઠ તથા ગુણેને ધારણ કરનારી ધારિણી નામે મુખ્ય રાણી હતી. એકદા રાત્રીએ સુખે સુતેલી ધારિણું રાણીએ સ્વમામાં સિંહ દીઠા પછી તુરત જાગી ગએલી તેણીએ તે વાત પિતાના પતિને કહી એટલે ભૂપતિએ કહ્યું. “હે પ્રિયે! તને સર્વગુણયુક્ત પુત્ર થશે, જા હમણાં રાત્રીને નિર્ગમન કર. રાણી પતિનું વચન માન્ય કરી પોતાને આસને ગઈ. સવારે ભૂપતિએ સ્નાન કરી, સર્વ આભૂષ ને ધારણ કરી અને સભામાં સિંહાસન ઉપર બેસી હર્ષથી સ્વપ્રપાઠકેને બેલાવ્યા. સ્વમપાઠકે પણ સ્નાનાદિ નિત્ય ક્રીયા કરી કૌતુક મંગલ કરી રાજસભામાં આવ્યા, ત્યાં તેઓ આશિર્વચન આપી ભૂપતિની આજ્ઞાથી બેઠા. પછી રાજાએ રાણીને પડદામાં બેસારી હર્ષથી હાથમાં ઉત્તમ ફળ ફુલ થઈ સ્વપ્રપાઠકેની આગળ સ્વમ કહ્યું. સ્વપ્રપાઠકેએ શાસ્ત્રને વિચાર કરી રાજાને કહ્યું “હે વિશે ! શાસ્ત્રમાં સામાન્ય સ્વમ બેતાલીશ અને મહા સ્વપન ત્રીશ એમ સઘળાં મળી બોતેર સ્વમ કહ્યા છે. તેમાં ગજેંદ્રાદિ ગ્રંદ મહાસ્વમ તે તીર્થકર અથવા તે ચક્રવર્તીની માતાજ દેખે છે. મંડલિક રાજાની માતા તે બે અથવા એકજ સ્વમ દેખે. ધારિણીએ રાત્રીએ સ્વમમાં સિંહ દીઠે છે તેથી તેણુને તેના અનુભાવથી રાજ્યના ભારને ધારણ કરનારો પુત્ર થશે, અથવા સંયમરૂપ સામ્રાજ્યપદને ધારણ કરનારે પવિત્ર શ્રમણ થશે.”
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy