SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રષિમંડલ વૃત્તિ-ઉત્ત , નાસી જતા, દુદ્દત હસ્તિઓથી પણ ન વશ થઈ શકે એવા એક મોટા હસ્તિને દીઠે. સૂર્ય સમાન તેજવાલા અર્ક કીર્તિએ તુરત આકાશમાંથી નીચે ઉતરી શીવ્ર હસ્તિને વશ કરી અંજનગિરિના ભૂપતિ પ્રભંજનને સે. પ્રભંજને પણ જ્ઞાનીનાં વચન યાદમાં લાવી મદનાવલી વિગેરે પોતાની આઠ કન્યાઓ તેને આપી. અકકીર્તિ નગરવાસી જનેને વિસ્મય પમાડતો છતો સસરાની પ્રસન્નતા માટે ત્યાં કેટલાક દિવસ રહેશે. ત્યાંથી તે વીતશેકા નગરી પ્રત્યે ગયે. ત્યાંથી જયવતી વિગેરે સ્ત્રીઓના પરીવારથી વિંટલાય તે અકીર્તિ, મહેાટી સંપત્તિથી પિતાની પુંડરીકણ નગરીએ ગયા. ત્યાં વામન તથા લુલા પુરૂએ સારા અને નરસા ચકા ચિન્હવાલા બલદથી જોડેલા ગાડાઓમાં કસ્તુરી, ખડી, ગલી, સુવર્ણ, કાર, પીતલ ઈત્યાદિ અનેક સારા નરસાં કરીયાણું ભરી તેમજ પાંચ વર્ણના કાચ અને પાંચ વર્ણના શરીરવાળે તે અર્કકીર્તિ કેતુકથી વેપારીનું રૂપ ધારણ કરી પિતાની નગરીમાં પેઠો. ત્યાં વેચવા માટે ચારે તરફ મૂકી દીધેલા કરીયાણાના પાત્રાથી તેમજ પિતાના તે પંચવર્ણિ વેષથી તેણે સર્વ માણસોને વિસ્મય પમાડયા. આવા સ્વરૂપથી નગરીના સર્વ દ્રવ્યને હરણ કરી તેણે ભૂપતિને પોતાના પિતાને) બહુ ખેદ ઉપજા. છેવટ વિમલકીર્તિ રાજા પિતાની સેનારૂપ સમુદ્રના અશ્વમય તુર વડે મર્યાદા તુલ્ય અકઝીતિ સામે યુદ્ધ કરવા આવે. અને બાણે ફેંકવા લાગે. અર્કકીર્તિએ એકજ બાણ ફેંકયું જેથી વિમલકીર્તિ રાજાના સર્વે યોદ્ધાઓ જેમ એક વિવેકથી બીજા સર્વે દૂષણે નાશી જાય તેમ નાસી ગયા. “હું બહુ સેનાથી પણ તે એક પુરૂષને જીતી શકીશ નહીં.” એમ ધારી વિમલકીર્તિ રાજા હારા ભુજબળને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ ” એમ કહેતે છતે ખેદ કરવા લાગ્યો. આ વખતે અકઝીતિના મિત્ર મેઘસેને વિમલકીર્તિ રાજા પાસે આવીને કહ્યું કે “હે રાજન ! આપ ખેદ ન કરતાં પ્રીતિ કરે, એમ પોતાના બળને અર્પણ કરનારે રાજપુત્ર આપને કહેવરાવે છે.” મેઘસેનનાં આવાં વચન સાંભળી નેહ રૂપ સમુદ્રના શીકર સમાન અશ્રને વરસાવતે વિમલકીતિ રાજા તુરત ત્યાં આવીને નમ્ર અને પિતાના સરખા રૂપવાલા પુત્રને આલિંગન કર્યું પછી વિમલકીર્તિ ભૂપતિએ પુત્રને મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવ્યો અને હર્ષથી પ્રીતિદાનના પાત્ર એવા તેને અભિષેક કર્યો. તથા પોતે ચારૂસ મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ભૂપતિ એક હજાર સામતે સહિત મોક્ષપદ પામ્યો. પછી ઉત્તમ પ્રકારે પ્રજાનું પાલન કરતા એવા તે અર્કદીતિ ભૂપતિની આયુધશાળામાં એક દિવસ ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેજના ભંડાર રૂપ અર્કકીતિ રાજાએ વિધિથી ચક્રમહોત્સવ કરી છ ખંડ પૃથ્વી સાધી. પછી ઉત્પન્ન થએલા ચૌદ રત્નના વિભાવવાલા તે અકીતિ ભૂપતિએ પોતાની પુંડરીકિણી નગરીને નવ ચેન પહેલી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy