SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ " શ્રીમતી રાહિણીના સબંધ ( ૧૮૫) જેમ પદ્મપત્રની સાથે ભાગ ભગવે તેમ અકીર્તિ આઠે આની સાથે ભેાગના અનુભવ કરતા છતા ત્યાં દીર્ઘકાલ પર્યંત રહ્યો. એકદા અકીર્તિકુમાર, શ્રીજિનેશ્વરને વંદના કરવા માટે પુંડરીકગિરિ પ્રત્યે ગયેા. ત્યાં જિનેશ્વરની પૂજનાદિ કરી થાકી ગએલા તે કુમાર રાત્રીએ સૂતા હતા એવામાં તેના રૂપથી મેાહ પામેલી ચિત્રલેખા નામની વિદ્યાધરી તેનું હરણ કરીને વૈતાઢય પર્વત ઉપર જવા લાગી. વિધાધરી વૈતાઢયની નજીક આવી એટલામાં કુમાર જાગી ગયા. જાગી ગએલા અને ક્રોધ પામેલા કુમારને જોઇ વિદ્યાધરી તેને વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર મૂકી શાશ્વતા ચૈત્યને વિષે જતી રહી. જેમ સૂર્યના દ નથી કમળના પત્રા ઉઘડી જાય એમ તે કુમારના દર્શનથી સિદ્ઘાલયનાં તુરત વજ્રમય દ્વાર ઉઘડી ગયાં. સિદ્ધાલયમાં રહેલા સિદ્ધાર્ક બહુ હુ પામતા છતાં તેમજ પોતાના જન્મને ધન્ય માનતા છતાં બહુ ભક્તિથી તેને નમસ્કાર કર્યો. આ વખતે કાઈ એક પુરૂષ ત્યાં આવી હાથ જોડી કુમારને નમન કરી કહેવા લાગ્યા. છે. અહિં સ હું કુમારેદ્ર ! લક્ષ્મીના સ્થાનરૂપ આ વૈતાઢય નામના પર્વત નગરામાં શ્રેષ્ઠ એવું અક્ષયપુર નામે નગર છે. તે નગરમાં પવનવેગ નામના ખલવ ત રાજા રાજ્ય કરે છે. તેને અતિપ્રિય એવી ચિત્તવેગા નામે સ્ત્રી છે. તેને ગતશેાકા નામની એક બહુ રૂપવાલી સતી પુત્રી છે. એકદા તે રાજાએ “ આ મ્હારી પુત્રીને કાણુ પતિ થશે ” એમ કાઈ ત્રિકાલજ્ઞાનીને પૂછ્યું. એટલે તેમણે કહ્યું કે હે પ્રભા ! રૂપથી મેહુ પામેલી વિદ્યાધરીએ દૂરથી આણેલા ચક્રવત પુરૂષ હારી પુત્રીના પતિ થશે. ” રાજાએ “ હે દેવજ્ઞ ? મ્હારે તેને શી રીતે જાણવા. ” એમ પૂછ્યું એટલે તે ત્રિકાળજ્ઞાનીએ ફરી રાજાને કહ્યુ. જેના દર્શનથી આ સિદ્ધાલયાના વજ્રમય કમાડનું ઉઘડવું થાય તે પુણ્યવત પુરૂષને ત્હારે ચક્રવત જાણવા. પવનવેગ ભૂપતિએ મને અહિં તે જોવા માટેજ રાખ્યા છે. આજે મેં મ્હારા ભાગ્યયેાગથી તમને દીઠા માટે હું કુમારેંદ્ર ! તમે ત્યાં ચાલે. અને જગતમાં ઉત્તમ એવી તે રાજપુત્રી તમારી પ્રિયા થાઓ. ” અર્કકીતિ કુમાર, તે પુરૂષના આવાં પ્રિય વચન સાંભલી હર્ષ થી તેની સાથે ચાલ્યા. કુમારનું આગમન સાંભળી વિદ્યાધર રાજા પવનવેગ તેના સામે ગયા. અનુક્રમે મ્હાટા મહાત્સવથી નગરમાં પ્રવેશ કરાવી વિદ્યાધરાધિપતિએ પેાતાની પુત્રી વીતશેાકાને મહાત્સવ પૂર્વક તે કુમારની સાથે પરણાવી. આ વખતે કુમારના શુષ્ણેાથી હર્ષ પામેલા ખીજા વિદ્યાધરાએ પોત પોતાની ત્રણસે ત્રણસે પુત્રીએ તે કુમારને આપી. વિદ્યાધરાથી પ્રાપ્ત થએલી વિદ્યાવાળા અને ઉત્તમ ભાગાને ભાગવતા તે અર્કકીતિ કુમાર ત્યાં પાંચ વર્ષ રહી અને પછી વિદ્યાધરાધિપતિની રજા લઈ પાતાના દેશ તરફ જવાને તૈયાર થયા. પ્રિયાના સુખરૂપી કમલેાથી આકાશને તલાવમય અનાવી દેતા તે કુમાર રથ, હસ્તિ, મિમાન અને અન્ય ઉપર બેઠેલા વિદ્યાધરાથી વિંટાયલા છતા ચાલવા લાગ્યા. રસ્તે તેણે અંજનગિીિ ૧૪
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy