SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકા આદિ છ મહર્ષિએની કથા. (૧૧) , તે સાધુઓ કહેવાય છે. તે સાધુઓનો વિશ્વાસ કરવો નહીં. કારણ તેઓ બાળકને મારીને ભક્ષણ કરે છે. ” એકદા તે બન્ને પુત્રો નગર બહાર રમતા હતા. એવામાં તેઓએ શિક્ષા લઈને આવતા એવા સાધુઓને જોયા. મુનિઓને દેખવા માત્રમાં ભયબ્રાંત થએલા બન્ને જણાઓ દૂર નાસી જઈને એક વડના ઝાડ ઉપર ચડી ગયા. જિતેન્દ્રિય એવા સાધુઓ પણ તેજ વડ નીચે આવ્યા. ત્યાં તેઓ ગોચરીચર્યાને પ્રતિકમી વિધિવડે નિર્દોષ એવા ભક્ત પાનને ખાવા લાગ્યા. મુનિઓને સ્વાભાવિક ભક્તપાન ખાતા જોઈ વડવૃક્ષ ઉપર રહેલા પેલા બન્ને કુમારે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ આ સાધુઓ પિતાને સ્વાભાવિક એવા અન્નપાન ભક્ષણ કરે છે, તેઓ હમણાં કાંઈ બાલકોને મારીને ખાતા નથી. હા હા ! મેહથી મૂઢ થએલા ચિત્તવાળા માતા પિતાએ આપણને એઓને સંગ ત્યજી દેવરાવવા માટે ખરેખર બહુ ભય પમાડયા હતા. પરંતુ આપણે આવા આકારવાળા પુરૂષો પૂર્વે કઈ વખતે દીઠા છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે બન્ને કુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રતિબોધ પામેલા તે બન્ને ભાઈઓ તુરત વડ ઉપરથી નીચે ઉતરી ભક્તિથી વંદના કરી તે સાધુઓને સ્પષ્ટ કહેવા લાગ્યા. જાતિસ્મરણ જ્ઞાનથી અમે પૂર્વ ભવ જાણ્યો છે. માટે શુભ આશયથી પ્રતિબોધ પામેલા અમે, તમારી પાસે રચારિત્ર લેશું. માટે હે મુનીશ્વરો ! અમે માતા પિતાને પ્રતિબોધ પમાડી અહિં આવીએ, ત્યાં સુધી આપે અમારા ઉપર કૃપા કરી અહિં રહેવું. ” મુનિઓએ કહ્યું. “હે વત્સ ! તમારે વિલંબ કરો નહીં, કારણ પ્રાય: ધર્મકૃત્ય બહુ વિઘકારી હોય છે. ” પછી બને કુમાર, પિતાના માતાપિતાની પાસે જઈ કહેવા લાગ્યા છે પિતા ! સાધુઓને જોઈ અમને બંને ભાઈઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી અમે અમારે પૂર્વભવ તેમજ જન્મ મરણનું સત્ય સ્વરૂપ દીઠું છે. માટે અમે હમણાં તમારી આજ્ઞાથી ચારીત્ર લેશું.” પુત્રનાં આવાં ઉકાળેલા કથીર સરખાં વચન સાંભળી અત્યંત ખેદ પામેલા મનવાળા પિતાએ વ્રતવિઘાતકારી વચને કહ્યાં તે આ રીતે. “હે પુત્ર! વેદના જાણુ બ્રાહ્મણે કૃતિમાં એમ કહે છે કે-પુત્ર રહિત માણસોને સ્વર્ગ મળતું નથી. કહ્યું છે કે–પુત્રવડે કરીને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. વેદની શ્રુતિ કહે છે કે, પુત્રવડે સ્વર્ગલોક પમાય છે. માટે હે પુત્રે ! તમે પ્રથમ આ લેકમાં વેદને અભ્યાસ કરે, બહુ બ્રાહ્મણને ભેજન કરાવે, ગૃહભાર પુત્રને સેં, મહાદુર્લભ એવા ભેગો ભેગો અને પછી છેવટે ત્રીજી અવસ્થામાં તીવ્ર તપસ્વીઓ થઈને અરણ્યમાં નિવાસ કરે.” ૨૧
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy