SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૦ ) મીષિમંડલ વૃત્તિ ઉત્તરા, ભુખ લાગવાથી પાસેના ગામમાં ભક્ત પાન માટે ગયા અને બીજા સાધુઓએ આગલ વિહાર કર્યા. ગામમાં ગએલા મુનિ, આહાર કરીને પછી જે રસ્તે ગુરૂ વિગેરે સાધુએ ગયા હતા તે રસ્તે ચાલ્યા. પરંતુ દિશા ન જાણી શકવાથી મહા વિકટ વનમાં ભૂલા પડયા. મુનિ ત્રીજે દિવસ મહા કષ્ટથી તે અરણ્ય તેા ઉતર્યા પરંતુ ક્ષુધા તૃષાથી બહુ પીડા પામવાથી તેમજ હાઠ, તાલુ તથા કંઠે સૂકાઈ જવાથી કાઈ એક વૃક્ષની નીચે મૂર્છા પામ્યા. આ વખતે ત્યાં ચાર ગાવાલા આવી ચડયા, તેમણે તે મુનિને દીઠા. ગેવાલાએ દયાથી મુનિને જગાડયા અને પ્રાસુક અન્નાદિથી પ્રતિલાભ્યા. મુનિએ, તેમને અરિહંત ધર્મના ઉપદેશ કર્યો અને પંચ મહાંવ્રત અંગીકાર કરાવ્યા. તેમાં બે જણા સાધુના શરીરના મલની બહુ જુગુપ્સા કરતા મુનિની અનુક્રૂપાથી અને ઉત્તમ પ્રકારે સમકિત પાળવાથી તે ચારે ગાવાલેા મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. હવે જેમણે સાધુના મલ વિગેરેની જુગુપ્સા કરી નહેાતી તે ગેાવાલના જીવ દેવતાએ સ્વર્ગથી ચવી ક્ષિતિપ્રતિષ્ટિત નગરમાં શ્રેષ્ઠીપુત્રપણે ઉત્પન્ન થયા. તે શ્રેષ્ઠીને ખીજા ચાર પુત્ર થયા. તે છએ પુત્રા પૂર્વ ભવના પુણ્યયાગથી દીર્ઘકાળ પર્યંત ભાગા ભાગવી, ગુરૂના ઉપદેશથી દીક્ષા લઇ, સાધમ દેવલેાકમાં નલિનીગુલ્મ વિમાનમાં દેવતાપણે ઉપન્યા. ત્યાં ચાર પાત્યેાપમનું પેાતાનું આયુષ્ય લાગવી એ ગાવાલના જીવ રૂપ દેવતા વિના બીજા ચાર મિત્ર દેવતાએ ચવ્યા. તેમાં ૧ ઇષુકાર નગરમાં ઇષુકાર નામે ભૂપતિ થયા. ર તે રાજાની સ્ત્રી કમલાવતી થઇ. ૩ ભૂપતિના ભૃગુનામે પુરાહિત થયા, અને ૪ તે પુરાહિતની સ્ત્રી યશા થઈ. ભૃગુ, પુત્રરહિત હતા તેથી તે નિર ંતર બહુ ખેદ પામતા. તેના ખેદની વાત અવિધજ્ઞાનથી જાણીને નલિનીગુલ્મ વિમાનમાં રહેલા બે ગોવાળપુત્ર રૂપ દેવતાએ સાધુનું રૂપ લઈ ત્યાં આવ્યા. અત્યંત પ્રિય અને હર્ષિત ચિત્તવાળા તે ભૃગુએ તેમને વંદના કરી. ભૃગુ અને તે સ્ત્રીએ મુનિઓના ધર્મોપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી ભૃગુએ પૂછ્યું કે “ મ્હારે પુત્ર થશે ? ” મુનિઓએ ઉત્તર આપ્યા. “ તમને થાડા કાલમાં એ પુત્રા થશે. એ બન્ને પુત્રાને દીક્ષા લેતાં તમારે નિષેધ કરવેા નહીં, કારણ તેઓ ખાલ્યાવસ્થામાંજ મહુ લેાકને પ્રતિધ કરનારા થશે. ” દેવતાએ આ પ્રમાણે કહીને સ્વર્ગ પ્રત્યે ગયા. અછી અનુક્રમે શુભ મનવાળા તેઓ ત્યાંથી ચવીને ભૃગુની શ્રી યશાના ઉદરમાં અવતર્યા. યશાને સાધુના દર્શનના ડાહલા ઉપન્યા તેથી ભૃગુપુરોહિત, સર્વ કુટુંબને સાથે લઇ પ્રત્યંત નામના ગામને વિષે ગયા. પછી શુભ દિવસે તથા સારા લગ્ન વખતે તે પુત્રાને જન્મ થયા. ભૃગુએ `થી પુત્રોના જન્મ મહાત્સવ કર્યો. હવે તે પુત્રા જ્યારે આઠ વર્ષના થયા ત્યારે ભૃગુ પુરોહિત તેમને ઘરને વિષે શખવા માટે સાધુ દેખાડી એમ ભય પમાડવા લાગ્યા કે આવી આકૃતિવાળા હાય
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy