SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૨ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તમ. ઈચ્છતી નથી. માટે હું ઉત્તમ પુરૂષ! કૃપા કરી તેનું પાણીગ્રહણ કરી, કે જેથી તમને ઘેાર એવું સ્રીહત્યાનું પાપ ન લાગે ” ભૂપતિએ પણ તેમજ કહ્યુ, તેથી આદ્રકુમાર મુનિએ પેાતાના ભાગાવલી કર્મના ઉદય જાણી તથા દેવતાના વચનનુ સ્મરણ કરી તેજ વખતે ધનશ્રીનેા પાણી ગ્રહણ કર્યો પછી દેવતાએ પૂર્ણ આપેલી સંપત્તિવાલા આ કુમારે તે ધનશ્રીની સાથે બહુ લાગો ભાગવ્યા. કેટલાક કાલે તેઓને ઉત્તમ લક્ષણુવાલા પુત્ર થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્ર જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે આ કુમારે પાતાની પ્રિયા ધનશ્રીને કહ્યુ કે “ હું પ્રિયે ! હવે તને નિર ંતર આધાર રૂપ આ પુત્ર થયા છે, માટે મને ફરી દીક્ષાને માટે આજ્ઞા આપ, કારણુ મેં વ્રતને માટેજ પ્રથમ મ્હારૂં મ્હાટુ રાજ્ય ત્યજી દીધું છે.” તપાવેલા કથીર સરખા પતિના વચનને નહિ સદ્ભુતી ધનશ્રી વિચારવા લાગી. “ ધિક્કાર છે મને જે મ્હારા કુકર્મના ઉદય થયા. હમણાં પતિ વ્રત લેવા તૈયાર થયા, પુત્ર ખાલ છે અને હું નવચાવના છું તેથી હું નથી જાણતી કે શું થશે.” પછી તત્કાલ ઉત્પન્ન થએલી બુદ્ધિવાળી ધનશ્રી પુત્રને કાંઠે શીખવાડી પતિ સુઈ ગયે છતે પાતે કાંતવા લાગી. આ વખતે પુત્ર નિશાળેથી આવ્યેા અને માતાને કાંતતી જોઇ ગાઢ સ્વરથી કહેવા લાગ્યા. “ અરે માતા ! ગરીબ માણસને ચેાગ્ય એવું આપણા ઘરને વિષે આ કાંતવું શું ?” માતાએ કહ્યું “ હે વત્સ દ્ઘારા પિતા હમણાં દીક્ષા લેવાના છે અને તું માળ હાવાથી દ્રવ્ય કમાવા શિખ્યા નથી માટે નિશ્ચે કાંતવાથી મ્હારા નિર્વાહ થશે.” પુત્ર કહ્યું “ હે માત ! ત્હારે આવું અમાંગલિક ન મેલવું. હું ખંધનથી ખાંધીને મ્હારા પિતાને ઘેર રાખીશ. હું માત ! તું હમણાં મને ઝટ સૂતરની દડી આપ કે જે સ્તરથી હું મ્હારા પિતાને હમણાંજ બાંધી લઉ” પછી માતાએ પુત્રને સુતરની દડી આપી. પુત્ર સુતરના ત્રાગથી જેટલામાં પેાતાના પિતાને ખાંધે છે તેટલામાં કપટનિદ્રાથી સૂતેલા આ કુમાર આ સર્વ વાત સાંભળી માહથી પાતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ હમણાં પુત્ર મને જેટલા ત્રાગથી વિટશે તેટલા વર્ષ સુધી મ્હારે નિશ્ચે ગૃહવાસસાં રહેવું.” આ વખતે પુત્રે તેમને સૂતરના ત્રાગથી તુરત ખાર વાર વીંટી લીધાં. પછી તુરત આ કુમારે ઉઠીને તથા સૂતરના ત્રાગ ગણીને તે પેાતાની પ્રિયાને કહ્યુ “ હે ભદ્રે ! પુત્રે મને સૂતરના ખાર ત્રાગવડે વિયેા છે. માટે હું' ખાર વર્ષ સુધી ગૃહવાસમાં રહીશ. જેથી તું ચિત્તમાં ખેદ્ય ન કરતાં હર્ષ પામ.” પછી સંતુષ્ટ થએલી ધનશ્રીએ પુત્રને આલિંગન કરીને કહ્યું. “ હે વત્સ ! ત્હારા સમાન ખીજો કર્યેા પુત્ર હાય કે જેણે માતાની આશા પણ પૂર્ણ કરી-” પછી ધનશ્રીની સાથે મરજી પ્રમાણે ભેગ ભાગવતા આર્દ્ર કુમારને સુખમાં એક વર્ષની પેઠે ખાર વર્ષ નીકળી ગયાં. પછી માર વર્ષને અંતે એક દિવસ રાત્રીના પાછલા પહેારે નિદ્રામાંથી જાગૃત થયેલા આ કુમાર મનમાં વિચાર કરવા લાગ્યા. “ હા હા ! મેં નિશ્ચે પૂર્વભવને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy