SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆમારુ નામના મુનિવરની કથા (૧૩૧) કરવા ધનશ્રીના પિતા પાસે તેના ઘરે આવવા લાગ્યા. તેઓને આવીને ગયા જાણું ધનશ્રીએ પોતાના પિતાને પૂછયું. “હે તાત ! તે સર્વ વ્યવહારીઆઓ આપણું ઘરે શા માટે આવ્યા હતા ? ” શ્રેષ્ઠીએ કહ્યું. “ હે પુત્રી ! આ સર્વે પુરૂષ પાત પોતાના પુત્રને અર્થે હારું માગું કરવા આવ્યા હતા, માટે હવે તું ત્યારે પોતાને ભાવ મને જણાવ. ” ધનશ્રીએ કહ્યું. નિર્મલ કુલમાં ઉત્પન્ન થએલી ઉત્તમ કન્યાએનું એકવાર પાણીગ્રહણ થાય છે. જેના પાણગ્રહણ વખતે દેવતાએ મને સાડાબાર કોડ દ્રવ્ય આપ્યું છે, તેજ મારે આ ભવને પતિ છે. અન્યથા મારે જવાલાથી વિકરાલ એ અગ્નિ જ શરણ છે. માટે તમારે મારા બીજા વરને માટે જરાપણું ચિંતા કરવી નહિ, ” પુત્રીને આ કદાગ્રહ જાણું શ્રેષ્ઠીએ કહ્યું. “નિસ્પૃહી એવા તે સાધુ હારે પાણગ્રહણ શી રીતે કરશે ? વલી પિતાની મેળે હારા હાથમાંથી પિતાના પગ છોડાવી રાત્રીને વખતેજ નાસી ગએલા તે એકલા અને અસ્થિર મુનિને શી રીતે લખી શકાય ? ” ધનશ્રીએ કહ્યું. “ એમને હુંજ લખીશ, કારણ મેં વિજલીના પ્રકાશથી એ મહા મુનિના પગને વિષે પદ્મ દીઠું છે.” પિતાએ કહ્યું. “હે વત્સ ! જે. એમ છે તે તું મારી દાનશાલામાં રહી નિરંતર યાચક જનેને સ્વેચ્છા પ્રમાણે દાન આપ, અને આપવાને વખતે નિત્ય સાવધપણુથી તેને લખવા માટે સર્વ યાચકોના પગ જે. કદાચિત હારા ભાગ્યયોગે જે તે મુનિ અહિં આવી ચડે તે હારે મને ઝટ નિવેદન કરવું. ” પિતાની તે આજ્ઞા માન્ય કરી ધનશ્રી સ્વેચ્છા પ્રમાણે યાચક જનને દાન આપતી છતી દાનશાલામાં રહેવા લાગી. હવે અભયકુમારને મલવા માટે જતા એવા આદ્રકુમાર મુનિ, હંમેશાં રાજગૃહ નગર તરફ પગ રાખીને રાત્રીએ સુતા. એક દિવસ તે મહા મુનિનું ઉગ્ર એવું ભેગાવલી કર્મ ઉદય આવ્યું જેથી રાત્રીએ સુતેલા તે મુનિના પગને સ્થાનકે મસ્તક આવી ગયું. પછી તે મહામુનિ પિતાના પગને અનુસાર હંમેશની માફક ચાલવા લાગ્યા અને કેટલેક દહાડે પાછા વસંતપુર નગરે આવી પહોંચ્યા. ત્યાં પોતાના ભેગાવલી કમેં મેરેલા તે ધીર મહા મુનિ, ભિક્ષાને અર્થે ધનશ્રીની દાનશાલા પ્રત્યે ગયા. શુદ્ધ ભજન વહોરાવતી એવી ધનશ્રીએ તે મુનિના ચરણમાં પદ્મ દીઠું, તેથી તેણુએ તુરત તે મહામુનિને ઓળખ્યા. તુરત પોતાના પિતાને મુનિના આગમનની વાત જણાવીહર્ષના આંસુને વિસ્તાર કરતી ધનશ્રી મુનિના ચરણમાં પડી કહેવા લાગી કે “હે સ્વામિન્ ! તે રાત્રીએ હારા હાથમાંથી બલવડે પોતાના પગ છોડાવી નિરાશ્રિત એવી મને ત્યજી દઈ ચાલ્યા ગયા હતા, પણ આજે શીરીતે જશે? શ્રેષ્ઠી પણ રાજા વિગેરેને સાથે લઈ ત્યાં આવ્યું અને આદ્રકુમાર મુનિને પ્રણામ કરી હાથજોડી કહેવા લાગ્યો. કરૂણરસના સમુદ્ર અને વિશ્વના જીને હિતકારી છે મુનીશ્વર! તમારાજ એક શરણે રહેલી આ બાળાને તમે પરણશે નહીં તે નિચે તે અગ્નિમાં પ્રવેશ કરી પિતાના પ્રાણ ત્યાગ કરશે. કારણ એ તમારા વિના બીજા પતિને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy