SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રષિમડલવૃત્તિ ઉત્તશદ્ધ, ઉદય આવ્યે છતે ફરી ગૃહસ્થપણું અંગીકાર કર્યું; વળી જેમણે પુત્ર અને સ્ત્રીના પ્રેમરૂપ ભાવબંધનથી પિતાના આત્માને છેડા તથા દ્રવ્ય બંધનથી હરિતને છેડા, તેમજ જેમણે પર તીર્થિઓને વિષે વિજય મેળવ્યો તે શ્રી આદ્રકુમારમુનિ મોક્ષ પામ્યા. ૮-૯ न दुकरं वारणपासमोअणं, गयस्स मत्तस्स वर्णमि रायं ॥ जहाउ अक्का बलिएण तंतुणो, तं दुक्करं मे पडिहायमोअणं ॥ १० ॥ (શ્રી શ્રેણિકાદિકના પૂછવા ઉપરથી આદ્રકમુનિ કહે છે.) હે રાજન! જેવી રીતે મને કાચા સૂતરના તાંતણુથી મૂકાવું દુષ્કર લાગે છે તેવી રીતે વનખંડમાં મદેન્મત હસ્તિને વારણપાસથી મૂકાવું દુષ્કર નથી લાગતું. ૧૦૦ * 'श्रीआईकुमार' नामना मुनिवरनी कथा * જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં ઇંદ્રપુર સમાન લક્ષમીના નિવાસ સ્થાનરૂપ વસંતપુર નામે નગર છે. તે નગરમાં સમાદિત્ય નામને પ્રસિદ્ધ વિદ્વાન અને ઉત્તમ એવો બ્રાહ્મણ વસતે હતે. તેને ઘણા પ્રેમવાળી બંધુમતિ નામે પ્રિયા હતી. તેમાદિત્યને ઘરનાં સર્વ કાર્ય કરનાર અને પીડાને નાશ કરનારો તેમજ ગુણલક્ષમીએ કરી પવિત્ર એ એક વણિક મિત્ર હતે. એકદા સમાદિત્ય વિપ્ર સૂર્યાચાર્ય પાસે ઉત્તમ દેશના સાંભલી પિતાના મિત્ર અને સ્ત્રી સહિત વૈરાગ્યવાસિત થયે, તેથી તેણે તેની સાથે તે સુગુરૂ પાસે આગ્રહથી સર્વાર્થને આપનારી દીક્ષા લીધી. જો કે તે સમાદિત્ય મુનિ વૈયાવચ્ચ, તપ અને સર્વ સિદ્ધાંતનું અધ્યયન ઇત્યાદિ ધર્મ કાર્યવડે નિરંતર અતિ પવિત્ર એવા ચારિત્રને પાલતા હતા. તેપણું તે, મિત્રે વાર્યા છતાં જાતિમદ કરતા હતા. તેથી તેમણે નીચ ગોત્ર કમ ઉપાર્જન કર્યું. એક દિવસ સોમાદિત્ય મુનિએ બંધુમતિ સાધ્વીને દીઠી તેથી પૂર્વને તેણીની સાથેને સંગ યાદ આવવાથી તેમનું મન તે સાધ્વી ઉપર બહુ રાગવાલું થયું. જો કે પોતે શુભ ભાવનાથી ચિત્તને નિરોધ કરવા લાગ્યા તે પણ રાગને લીધે તેમ કરવા સમર્થ થઈ શક્યા નહીં. તેથી તેમણે સાધુઓના સમૂહની આગલ નિવેદન કર્યું કે “હે મહા મુનિએ ! હું જ્યારે દષ્ટિથી બંધુમતી સાધ્વીને જોઉં ત્યારે મહારૂં ચિત્ત તુરત તેના ઉપર બહુ રાગવાનું થાય છે, માટે હે પૂજે ! પાપાત્મા અને પાપ મનવાલે હું શું કરું? ” અહિં બંધુમતી સાધ્વીએ પણ પોતાના કર્મબંધના કારણ રૂપ તે વ્યતિકર જાણ તુરત પોતાના શીલની રક્ષા કરવા માટે પિતાની ગુરૂણીને પૂછી અનશન લીધું. શુભ આશયવાલી તે મહા સતી વિધિ પૂર્વક આરાધના કરી સ્વર્ગ પ્રત્યે ગઈ. બંધુ મતી સાધ્વીની સ્વર્ગગતિ સાંભલી સોમાદિત્ય મુનીશ્વર, પોતાના મનમાં ઉત્પન્ન થએલા પશ્ચાતાપથી વિચાર કરવા લાગ્યા. “ હા હા ! મ્હારા મનના દુષ્ટ પરિણું
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy