SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શીતલીપત્ર મુનિવર અને જિતશત્રુ રાજા તથા સુબુદ્ધિ મત્રીની કથા. (૧૨૩ ) રાજાએ કાઢી મૂક્યો અને બીજે તેવું પ્રધાન પદ ન મલવાથી મંત્રીએ દીક્ષા લીધી એ લેકમાં હારે અપવાદ ન થાય.” પછી દેવતાએ કનકધ્વજ રાજાને શાંત કર્યો તેથી તે ભૂપતિ તુરત સ્નેહથી પ્રધાન પાસે આવી ક્ષમા માગવા લાગ્યા. ભૂપતિએ પધાનને પટ્ટહસ્તિ ઉપર બેસારી અને પોતે છડીદાર થઈ જ્હોટા મહાચ્છવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. આ અવસરે મંત્રીને પ્રાપ્ત થએલા અખંડ વૈરાગ્યના રંગથી પિફ્રિલાના જીવ રૂપ દેવતાઓ પણ મોટો ઉત્સવ કર્યો. પછી મહા કષ્ટથી કનવજ ભૂપતિની આજ્ઞા લઈ તેતલિયુત પ્રધાને સાવદ્ય યોગનું પચ્ચખાણ કર્યું અને ઉત્પન્ન. થએલા જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વે અભ્યાસ કરેલા ચોદ પૂર્વને સમરણ કરતા તેમણે ચારિત્ર લીધું. અનુક્રમે તે મહામુનિ કેવલજ્ઞાન પામ્યા. જેથી દેવતાઓએ તેમનો કેવલમહોચ્છવ કર્યો. તેતલિસુત મહામુનિએ તેતલિ નામનું અધ્યયન બનાવી કનકધ્વજ ભૂપતિને શીધ્ર શ્રાવકધમી બનાવ્યો. પછી પૃથ્વી ઉપર બહુ કાલ પર્ય પોતાના વિહારથી અનેક ભવ્ય જનોને પ્રતિબોધ પમાડી તેતલિસુત મુનિ ઉત્કૃષ્ટ એવા અક્ષય પદને પામ્યા. સમૃદ્ધિથી સ્વર્ગની હરિફાઈ કરનારા તેતલિપુર નગરમાં શ્રી પિફ્રિલાના છવરૂપ દેવતાએ ઉત્કૃષ્ટ રીતે પ્રતિબોધ પમાલે, ઉત્તમ બુદ્ધિવાલે તેતલિયુત પ્રધાન, સંસારને બંધ કરનારા સાવદ્ય ગેનું પચ્ચખાણ કરી, દીક્ષા લઈ અને પૃથ્વી ઉપર વિહાર કરવાથી સર્વ ભવ્ય જનોને પ્રતિબંધ પમાડી મુક્તિરૂપ લક્ષમીને પામ્યા. 'श्रीतेतलिपुत्र' नामना मुनिवरनी कथा संपूर्ण जिअसत्तु पडिबुद्धो, सुबुद्धिवयणेण उदयनायंमि ॥ ते दोवि समणसीहा, सिद्धा इक्कारसंगधरा ॥९७ ॥ સુબુદ્ધિ મંત્રીના વચનથી જિતશત્રુ રાજ ઉદકના દ્રષ્ટાંતને વિષે પ્રતિબોધ પામ્યો. પછી તે બન્ને જણા દીક્ષા લઈ એકાંદશાંગીના ધારણહાર થઈ મોક્ષપદ પામ્યા હળા * श्रीजितशत्रु नृपति अने सुबुद्धि मंत्रीनी कथा 36 આ ભરત ક્ષેત્રમાં જાણે અમૃતના મેદથી હર્ષિત એવા દેવતાઓને પ્રિય એવી અમરાવતી હોયની? એવી ચંપા નામે મહાપુરી છે. ત્યાં મહા પ્રભાવવાલો જિત શત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રેમવાળી તથા ગુણના પાત્રરૂપ ધારિણે નામે સ્ત્રી અને અદીતશત્રુ નામે યુવરાજ હતો. એ રાજાને સર્વ રાજ્યની દેખરેખ રાખનારે, ઉત્તમ બુદ્ધિવાલો, શ્રમણને ઉપાસક અને ઉત્કૃષ્ટપણે તત્વને જાણ એવો સુબુદ્ધિ નામે પ્રધાન હતો. પુરીની પાસે એક ખાઈ હતી તેમાં પક્ષી વિગેરેનાં કલેવરથી વ્યાસ, માંસ, ચરબી, રૂધિર, પાચાદિના સમૂહથી ભરપૂર, ખરાબ દેખાવવાળું, ખરાબ રસ અને ગધથી નિંદ્ય, અને જોવા માત્રમાં જ દુઃખકારી એવું જળ હતું. એકદા જિતશત્રુ ભૂપતિએ ભેજનમંડપમાં સરસ આહારનું ભજન કરી પિતાના સેવકોને કહ્યું. “આહા! આજે જન્મેલા ભેજનના વિશ્વને આશ્ચર્યકારી ગય."
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy