SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કેડિજ, દિશા અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા. (૯૧) લેક નાથની દેશનાભૂમિને વિષે દેવતાઓ અતિ હર્ષથી અભૂત પુષ્પવૃષ્ટિ કરે છે. ત્રણ ભુવનની પ્રભુતાના પદને સૂચવનારા અને ત્રણ જગતના જનેને આશ્ચર્યકારી એવા સિંહાસનને વિષે એ પ્રભુ વિરાજે છે. વળી ત્રણ લેકના જનને આકર્ષણ કરવામાં મંત્રરૂપ છે જેમને દેવદુંદુભિ નહિ વગાડયા છતાં પણ હુંકાર શબ્દની પેઠે અત્યંત વાગ્યા કરે છે. તેમના બન્ને પડખે હંસના સમૂહની પેઠે ચામરોની પંક્તિ શોભી રહી છે. તેમજ સવે પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી તેમની વાણી એક એજન પર્યત સંભળાય છે. ઈત્યાદિ અનેક સંપત્તિવાળા ત્રણ જગના પતિ અને શ્રી વીર નામવાલા હારા ગુરૂ આજે તમને પ્રત્યક્ષ થશે.” આ પ્રમાણે પરસ્પર વાત કરતા એવા તે સર્વે મુનીશ્વરે મોક્ષના સમીપ રહેલા સમવસરણ પ્રત્યે આવ્યા. ત્યાં સમવસરણના દર્શનથી જ પ્રાપ્ત થએલા શુભ ધ્યાનવડે દળી નાખ્યા છે કર્મરૂપ મલ જેમણે એવા તે બીજા કેડિત્રાદિ પાંચસેં સાધુઓ કેવળજ્ઞાન પામ્યા. બાકી રહેલા સેવાલાદિ પાંચસેં સાધુઓ જિનસ્વરૂપને જોઈ શુભ ભાવના ભાવતા છતા કેવલી થયા. પછી તે સર્વે પંદરસે કેવલી સાધુઓ શ્રી જિનેશ્વરને પ્રદક્ષિણા કરી જેટલામાં કેવળીની પર્ષદામાં જવા લાગ્યા. તેટલામાં ગોતમ ગુરૂએ પૂર્વની પેઠે કહ્યું કે, “હે વત્સ! શ્રીવીર પ્રભુને નમસ્કાર ન કરવા રૂપ તે વિશ્વગુરૂની અવજ્ઞા ન કરો.” તમનાં આવાં વચન સાંભળી શ્રી વીર પ્રભુએ તેમને કહ્યું કે –“હે ગતમ! હમણુ તમે એ કેવલજ્ઞાનીઓની પાપદાયી એવી ઘાઢ આશાતના ન કરે.” પ્રભુનાં આવાં વચન સાંભળી શુદ્ધ આત્માવાલા ગૌતમ પિતાના મનમાં નિશ્ચય કરીને બહુ ચિંતા કરવા લાગ્યા કે, “અહો ! હું જેને જેને જેની દીક્ષા આપું છું તેને તેને ઉજ્વળ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.” પરંતુ મને કેવળજ્ઞાન થતું નથી. શું મને આ ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય? ધિક્કાર છે મહારા આત્માને ” આવી રીતે ખેદ કરતા એવા ઐતમને શ્રીવીર પ્રભુએ કહ્યું. “હે વત્સ ગૌતમ ! તું કેવળજ્ઞાનની ઉત્પત્તિ નિમિત્ત ખેદ ન કર, કારણ અંતે આપણે બન્ને જણા સરખા થઈશું. પ્રભુનાં આવાં વચનથી ગતમ નિઃસંદેહ થયા. અને તેમણે સંખ્યાબંધ માણસોને પ્રતિબોધ પમાડી સંસારથી મૂકાવ્યા. પછી વીર પ્રભુએ પિતાનો નિર્વાણ સમય પાસે આવ્યો જાણી તે વખતે ગેમને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા. ગતમ તે બ્રાહ્મણને પ્રતિબંધ પમાડી પાછા આવતા હતા એવામાં તેમણે રસ્તામાં પ્રભુનો મોક્ષ સાંભળ્યો. તેથી તે વજન વડે હણાયેલાની પેઠે ક્ષણમાત્ર તે શુન્ય થઈ ગયા. પછી સચેત થયા એટલે વિલાપ કરવા લાગ્યા. હે પ્રભે ! તારાવિના આજે મિથ્યાત્વરૂપ અંધકાર ફેલાશે, કુતીર્થિક કેશિક ગજારવ કરશે, દુર્ભિક્ષ, ડમર, વિરાદિ રાક્ષસોને પ્રચાર થશે તથા રાહુગ્રહસ્ત ચંદ્રવાળું જેમ આકાશ અને દીવા વિનાનું ઘર તેમ તારા વિનાનું ભારત આજ થઈ ગયું.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy