SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ્ગુણ વિવરણ, ૨૫ પ્રક્ષાલન કરનાર શ્રેષ્ઠ અલંકારને યોગ્ય થાય છે, તેમ આ શુદ્ધ હેતુવાળા જીવ ધર્મ રૂપી અલંકારને ચામ્ય થાય છે, અને પછી દેવપૂજા,તથા દાનાદિ અનુષ્ઠાન વિગેરે જે જે કાર્ય જીવ કરે છે, તે તે તેને સફળ એટલે સ્વર્ગ અને મોક્ષના ફળનેજ આપનારૂ 7 થાય છે. ભાવાર્થ-અહિં અનેશ્વર ભગવાને ધર્મનું મૂળ વ્યવહાર શુદ્ધિ છે એમ જણાવ્યું છે, તેથી વ્યાપાર કરતાં ઓછુ આપવું. વધારે લેવુ, માપવાનાં કાટલાં પ્રમાણથી વધારે આછાં રાખવાં, તાજવામાં ધડા વિગેરે રાખવા, સારા માલ દેખાડી ખરાબ આપવા, સારા પદા નબળા પદાર્થની સાથે મેળવી સારા માલના પૈસા લેવા, દેવદ્રવ્ય વગેરે ઉચાપત કરવુ', લાંચ ખાવી, વિશ્વાસઘાત કરવા એ વિગેરે અન્યાયેાથી દ્રવ્ય ઉપાર્જન કરવુ ગૃહસ્થાને ચોગ્ય નથી; કારણ કે શુદ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય તેજ અશુદ્ધિ છે, અને તથાપ્રકારના જો શુદ્ધ અર્થ ( દ્રવ્ય ) હાય તોજ તેનાથી ખરીદેલા આહાર શુદ્ધ સાત્વિક ગુણ ઉત્પન્ન કરનારા થઇ શકે છે. કહેવત છે કે ‘ જેવા આહાર તેવા આડકાર ' એટલે એ ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરેલુ હોય અને તેના આહાર વિગેરેમાં જે ઉપયોગ થાય તે તે વ્યવહારની શુદ્ધિથી અની પ્રાપ્તિ થઇ ગણાય છે, અને તે દ્રવ્યનો સત્પાત્ર, દીન, અનાથ વિગેરે ધર્મકાર્યમાં વ્યય કરવામાં આવ્યા હોય તે તે અત્યંત આનંદ આપનારા થાય છે. સાથે ધર્મની પણ પુષ્ટિકર્તા થાય છે, અને તે દ્રવ્ય જેના ઉપભાગમાં આવ્યુ` હોય તેના વિચારો પણ વ્યવહાર શુદ્ધિમાં પ્રવર્ત્તન કરાવનારા થાય છે, તેમજ અનીતિ વિગેરેને વધારનાર વિચારાને લય થાય છે, તેથી વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા સતત્ પ્રયાસ કરવા જેથી તે ઉત્તરાત્તર ઉત્તમ ફળને આપનારૂં થાય. આવા શુદ્ધ આહાર કરવાથી શરીરના પરમાણુએ પણ નિર્મળ થાય છે, જેથી શરીર અને દ્રવ્ય મનના પરમાણુએ શુદ્ધ થવાથી જીનેશ્વર ભગવાનની આજ્ઞાનુસાર વર્ત્તવાથી કબળ નાશ થાય છે, તેથી આત્મા ઉત્તરાત્તર ઉચ્ચ દશાને પામી પાતાના સ્વરૂપને પ્રગટ કરવા પ્રયત્નવાન થાય છે, અને ચેાગ્ય સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અનુકુળતા પ્રમાણે પ્રથમ દેશવિરતિપણાને અગીકાર કરી અને પછી સર્વ વિરતિપણાનું આરાધન કરી અષ્ટમાદિ ગુણસ્થાને પ્રાસ કરી,ઘાતિકમાંને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શનને પ્રગટ કરી અ'તે મેક્ષપદને પામે છે, હવે ઉપર કહેલી મીના વ્યતિરેકથી દર્શાવે છે ४ 1 -
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy