SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રાદ્રગુણ વિવરણ. કે“ હે વત્સ ! તું જાણે છે કે મ્હારા ચેલ્રણા ઉપર અસાધારણ મમત્વ ભાવ છે તે માટે મ્હારી પ્રસન્નતાના સૂચક એક સ્થંભીએ મહેલ આ ચેન્નૈણા માટે તૈયાર કરાવ કે જેથી તે મહેલમાં સુખપૂર્વક રહી શકે.” અભયકુમારે પણ જણાવ્યું કે હે દેવ ! આ કાર્ય થએલુંજ છે” એમ કહી હુશીયાર સુથારને વનમાં જવાના આદેશ આપ્યા વનમાં પરિભ્રમણ કરતા સુથારે એક લક્ષણવાળુ વૃક્ષ જોયુ અને વિચાર કર્યો કે–આ વૃક્ષ પ્રસ્તુત્ત કાર્ય ને યાગ્ય છે. પરંતુ અભયકુમારે પૂજા અને પ્રણિધાન પૂર્વ કે આવા પ્રકારના વૃક્ષનું ગ્રહણ કરવાનું કહેલું છે. તેથી સુત્રધારે ઉપવાસકરી ઉત્તમ ગંધ, પુષ્પ અને નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ખેલ્યા કે રાજાના આદેશથી આ વૃક્ષને હું પ્રાત:કાળમાં કાપીશ. તે માટે આ વૃક્ષમાં જે કાઈ રાક્ષસ અથવા તા ચક્ષ ગધવ કે ગણુ વસતા હાય તા તે મ્હારા ઉપર પ્રસન્ન થઇ આ વૃક્ષને ઈંઢવા માટે હુકમ આપે. એ પ્રમાણે પ્રાર્થના કરી સુત્રધાર સુઇ ગયા એટલે તે વૃક્ષમાં રહેનાર વ્યંતરે વિચાર કર્યો કે—અભયકુમારના વિવેક અને વિનય કેવા આશ્ચર્યજનક છે ? જો અભયકુમારના આદેશથી આ સુત્રધારે ઉપર પ્રમાણે ન કર્યું હોત તા મ્હારા કોપરૂપ પ્રદીપમાં પતંગીયાપણાને પ્રાપ્ત થયા હોત પરંતુ ઉત્તમ પુરૂષા વગર વિચાર્યું કરનારા હાતા નથી. એ પ્રમાણે વિચાર કરી મધ્યરાત્રીમાં જઇ અભયકુમારને કહ્યુ કે—વિનય અને પૂજા વગેરેથી હું તુષ્ટ થયા છેં. તેથી સર્વ રૂતુના ફળ અને ફુલવાળા વનખંડથી સુશેાલિત એક સ્થંભીયા મહેલ હુજ અનાવીશ માટે સુત્રધારાને ઝાડ કાપવાના કામથી એકદમ નિવન કરો. અભયકુમારે પણ જંતરના વચનથી સૂત્રધારાને તે કામ કરતાં અટકાવ્યા એટલે દેવતાએ એકસ્થભીયા મહેલ તૈયાર કર્યો. અભયકુમારે પણ શ્રેણીકને વિન ંતિ કરી એટલે તરત તેવા પ્રકારના મહેલને જોઇ આશ્ચર્યથી વિકસિત વદનવાળા શ્રેણિક રાજા અભયકુમારને પુછ્યુ કે આવા પ્રકારનો મહેલ કેવી રીતે થયા ? અભયકુમારે ઉત્તરમાં સઘળા યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યા. તે પછી ચલણા રાણીને તે મહેલમાં રાખી અને કહ્યુ કે–વિદ્યાધરીની પેઠે મરજી મુજખ વિલાસ કરતી હું સુદરી ! આ ઠેકાણે રહી તું ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થ વડે પેાતાના જન્મને સફળ કર. આ તરફ અભયકુમાર પણ ગ્રહણ કર્યા પ્રમાણે ગૃહસ્થેધમ નું પાલન કરે છે. કઈ અવસરે રાજાએ રાજ્ય આપવા માંડયુ. પણ સ ંતેષપરાયણ અભયકુમારે તેને સ્વીકાર નહીં કરતાં વિચારવા લાગ્યા કે જો હું ચરમ ( છેલ્લા ) રાજિષ થઉ તા રાજ્યને ગ્રહણ કરૢ પરંતુ આ વાતનો નિશ્ચય તે ભગવાનને પુછવાથી થઈ શકશે એમ વિચારે છે એટલામાં ભગવાન મહાવીર સ્વામી પશ્ચિમ દેશથી વીતભયપત્તનના નરેશ ઉદાયનને દીક્ષા આપી રાજગૃહમાં પધાર્યા. અભયકુમાર પણ પાતાના પરિવાર સાથે જિનેશ્વરને વદન કરવા માટે ગયા અને ત્યાં અવસર મળતાં ભગવાન
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy