SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રાદ્ધગુણ વિવરણ, દેખાઇ કરવી, હદ વિનાના લાભ કરવા, મૂળ અને દેશને અનુચિત વસ્તુના હુમેશાં વિક્રય કરવા, હૃદયની નિર્દયતા અને ખર કર્મમાં પ્રવૃત્તિ. વળી શા માટે અહીં આટલા બધા આગ્રહ કરવા જોઇએ. એવુ કહેનારને માટે કહ્યું છે કે- कुलरूवरिद्धिसामित्तणाइ पुरिसस्स जेणमुवणीयम् । धम्मस्स तस्स जुज्जइ कह नाम विरुद्धमायरिउम् ॥ ७ ॥ શબ્દા :—જે ધમે પુરૂષને કુળ, રૂપ, સમૃદ્ધિ અને સ્વામિત્વ વિગેરેની પ્રાપ્તિ કરાવી છે તેવા ધમ થી વિરૂદ્ધ આચરણ કરવુ તે કેવી રીતે ચાગ્ય કહી શકાય ? ન જ કહેવાય. u u તે માટે કાઇએ કહ્યું છે કે- == येनानीतः कुलममलिनं लम्भितश्चारुरूपं श्लाघ्यं जन्म श्रियमुदयिनीं बुद्धिमाचारशुद्धिम् । पुण्यान् पुत्रानतिशयवतीं प्रेत्य च स्वःसमृद्धिं धर्मं नो चेत्तमुपकुरुते यः कुतोऽसौ कृतज्ञः ॥ ८ ॥ શબ્દા:જે ધમ નિળ કુળ, સુંદર રૂપ, પ્રશંસા કરવા લાયક જન્મ, ઉદયવાળી લક્ષ્મી, બુદ્ધિ, આચારની વિશુદ્ધિ, પવિત્ર પુત્રા અને પરલેાકમાં ઉત્કૃષ્ટ સ્વર્ગની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે, તેવા ધર્મને જે ઉપકાર નથી કરતા તે કૃતજ્ઞ રોના કહેવાય ? ન જ કહેવાય ॥૧॥ આ હેતુથી જે ધર્મને ઉપકાર કરનાર હેાય છે, તેજ કૃતજ્ઞ કહેવાય છે. વળી કહ્યું છે કે:~ विद्वांसः शतशः स्फुरन्ति भुवने सन्त्येव भूमिभृतो वृत्तिं वैनयिकीं च विभ्रति कति प्रीणन्ति वाग्भिः परे । दृश्यन्ते सुकृतक्रियासु कुशला दाताऽपि कोऽपि क्वचित् कल्पोर्वीरुहवनेन सुलभः प्रायः कृतज्ञो जनः ॥ ९॥ શબ્દા : આ દુનિયામાં સેંકડા વિદ્વાના સ્કુરાયમાન છે, કેટલાએક રાજાએ છે. કેટલાએક વિનયવાળી વૃત્તિને ધારણ કરનારા છે, કેટલાએક સુંદર વાણીવર્ડ ખુશી કરનારા છે, કેટલાએક પુણ્ય ક્રિયામાં કુશળ દેખાય છે અને વનમાં ક્લેપવૃક્ષની જેમ કાઇક ઠેકાણે દાતા પણ હેાય છે, પરંતુ પ્રાયે કરીને કૃતજ્ઞ પુરૂષ મળ દુર્લભ હેાય છે. ૫ ૯૫
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy