SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રાદ્ધગુણ વિવરણ પોષણ કરવામાં આવ્યું હોય તે પણ આખરે પિષણ કરનારને દગો દીધા વગર રહેતું નથી. તેમ કૃતધ્ધ પુરૂષનું પરમાર્થ વૃત્તિથી આજીવિકા વિગેરે પુરી પાડી ગમે તેટલું પોષણ કરવામાં આવ્યું હોય, તો પણ તેના ઉપર ઉપકાર કરનારને ઉપકારનો બદલે આપ તે દૂર રહો, પરંતુ અવસર આવે તે દુષ્ટ માણસ દગો દીધા વિના રહેતે નથી. વળી જેમ પર્વત પત્થર, કાંટા, વિકટ ઝાડી, વિષમ માર્ગ અને વ્યાધ્રાદિ કુર પ્રાણુઓનું સ્થાન હોવાને લીધે હમેશાં ભય આપનાર હોય છે, તેમ કૃતઘ્ન પુરૂષ ઉપકાર કરનારને તમેએ અમુક કાર્ય રાજવિરૂદ્ધ કર્યું છે તેને હું બહાર લાવીશ વિગેરે ખોટી ધમકી આપી હમેશાં ભય આપવામાં બાકી રાખતા નથી. આથી વિપરીત સ્વભાવવાળ કૃતજ્ઞ પુરૂષ તો કઈ વખત પણ ઉપકાર કરનારના ઉપકારને ભુલતા નથી અને ગમે તેવી આપત્તિ આવી પડે તે પણ સારા ક્ષેત્ર વિગેરેની પેઠે ઉત્તરોત્તર ઉત્તમ ફળને જ આપનારે થાય છે. જેની ઉપકાર કરવામાં હમેશાં બુદ્ધિ છે તે અને બીજે પિતાના ઉપર કરેલા ઉપકારને કદી ભુલ નથી એવા આ બન્ને પુરૂષને પૃથિવી ધારણ કરે છે, અથવા તો આ બે પુરૂષોએ પૃથ્વીને ધારણ કરી છે. કૃતજ્ઞ પુરૂષે થોડા ઉપકારને પણ ઘણે કરી માને છે, જેમકે જંગલમાં ક્ષીરામલકને આપનાર ભીલને રાજાએ મહાન ઉપકાર માન્યો હતો, તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે. વસંતપુરનગરમાં જિતારી નામને રાજા હતે. એક વખત સભામાં બેઠેલા રાજાને દ્વારપાલે વિજ્ઞપ્તિ કરી કે હે રાજન? બહુ દૂર દેશથી આવેલા સુવર્ણની છડી જેના હાથમાં છે' એવો એક ઘેડાને વેપારી દરવાજા ઉપર ઉભે છે. આ પ્રમાણે કહે છતે રાજાએ તેને સભામાં બોલાવ્યા. તે સદાગર રાજાને પ્રણામ કરી રાજાની આજ્ઞા મળતાં આસન ઉપર બેઠે. એટલે રાજાએ પુછયું કે હે ભદ્ર? કયા ક્યા દેશના કયા ક્યા નામવાળા કેટલી સંખ્યાવાળા કયા ક્યા ઘેડા લાવ્યું છે તે કહી બતાવ. ઘેડાના વેપારીએ જણાવ્યું કે-કબેજ, સિંધુ, પારસ અને વાલ્હીક વિગેરે દેશોના અને કર્ક, શ્રીવત્સ, ખુંગાહ, સરાહ, કિયાહ, હરિત, દુદત્રાહ, કુલાઈ, નીલ, હલાહ, કવિલ, અષ્ટમંગળ અને પંચભદ્ર વિગેરેનામવાળા ઘોડાઓ છે. હે રાજન વિશેષ શું કહું?એકેક જાતિના સા ઘેડાઓ છે. અને તે સઘળા સર્વ લક્ષણો થી શોભિત તેમજ કેળવાએલા છે. ત્યાર બાદ રાજા મંત્રીવિગેરેની સાથે જોવા માટે છેડાઓની જગ્યા ઉપર ગયે. ત્યાં સઘળા ઘોડાઓ જોયા. તેમાંથી કોઈ એક લક્ષણયુક્ત ઘેડા ઉપર પરીક્ષા કરવા માટે પોતે જ સ્વાર થયે, અને તેની પાસે પાંચ પ્રકારની ગતિ કરાવી વેગની પરીક્ષા વખતે કાનની વચ્ચે હણ્યો કે તરતજ ત્યાંથી ઉછળે અને એવી ગતિથી ચાલ્યું કે એક પ્રહરમાં બાર યોજન નિકળી ગયે. આ ઘોડો વિપરીત શિક્ષા પામેલો હશે એમ ધારી રાજાએ લગામ છોડી દીધી ને ઘેડો ત્યાં જ
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy